Daily Archives: 25/01/2013

Web-ગુર્જરી ઈન્ટરનેટના આકાશે તરતી મુકાશે

ત્રણ પ્રકારે કાર્ય થઈ શકે.

૧. કર્તા – કોઈ કાર્ય જાતે કરવું.

૨. કારિતા – કોઈની પાસે કાર્ય કરાવવું.

૩. અનુમોદિતા – કોઈ કાર્યને અનુમોદન આપવું.

ગુજરાતી e-જગત માટે આનંદના સમાચાર છે કે કવિશ્રી કલાપીના જન્મ દિવસે અને ભારતના પ્રજાસત્તાક દિવસે આપણું ગુજરાતી e-જગત Web-ગુર્જરી રુપી એક વિશાળ વટવૃક્ષની સંકલ્પનાથી એકત્ર થઈ રહ્યું છે. અલબત્ત આજે તો તે વૃક્ષનું બીજારોપણ થશે તેને રક્ષવાનું, ઉછેરવાનું અને સંવર્ધિત કરવાનું ઉત્તરદાયિત્વ આપણી સહુની ઉપર છે.

આ પ્રસંગ પરની વિશેષ જાણકારી તથા રસપ્રદ લેખ વાંચવા માટે પહોંચો શ્રી અમોના આંગણે.

આ વટવૃક્ષની સંપૂર્ણ સંકલ્પનાના સૂત્રધાર શ્રી જુગલકીશોરભાઈનો આજે ૨૫મી જાન્યુઆરીએ જન્મ દિવસ છે તો તેમને અભીનંદવાનું ન ભુલશો.

Categories: આનંદ, ઉત્સવ, ઉદઘોષણા, ઊજવણી, ગુજરાત, જન્મદિવસ | Tags: , | 3 Comments

Create a free website or blog at WordPress.com.