મિત્રો,
આપણે સહુ જાણીએ છીએ કે ગુજરાતી ભાષાની માન્ય જોડણી સાર્થ જોડણી છે. સાર્થ જોડણીમાં ઘણાં અટપટા નિયમો અને અપવાદ છે તેને લીધે સાર્થ જોડણીમાં સાવ સાચું લખવુ ઘણું અઘરુ અને ક્યારેક તો અશક્ય કે આકાશકુસુમવત બની જાય છે. તેનો સહેલો રસ્તો ઉંઝા જોડણી દ્વારા શોધવામાં આવ્યો છે. તે રસ્તો આમ તો સહેલો છે છતાં તેમાં યે મુશ્કેલીઓ છે. જેમ કે નાનપણથી શાળામાં સાર્થનું શિક્ષણ આપવામાં આવ્યું હોય. સાર્થ જોડણી પ્રમાણેના ચિન્હો મનમાં અંકિત થઈ ગયા હોય. હવે જ્યારે તે ચિન્હો ઉંઝામાં લખવાથી ફરી જાય ત્યારે સાક્ષરોને તે ઘણું કઠે. ઘણાં શબ્દો એવા છે કે જેમાં હ્રસ્વ કે દિર્ઘથી અર્થ ફરી જાય.
જેમ કે
દિન – દીન
પિતા – પીતા
કોમ્પ્ય઼ુટર સોફ્ટવેરની મદદથી આ સમસ્યા ઉકેલી શકાય. આમેય શ્રી વિશાલભાઈ મોણપરા ઘણાં વરસોથી ગુજરાતી ભાષાની સુપેરે સેવા કરી રહ્યાં છે. તેમણે ગુજરાતી સ્પેલ ચેકર તથા ગુજરાતીમાં લખવા માટે ટાઈપ પેડ વિકસાવ્યા છે. આ ઉપરાંત તેમણે યુનિકોડમાંથી ફોન્ટમાં અને ફોન્ટમાંથી યુનિકોડમાં દસ્તાવેજોને રુપાંતરીત કરવાની સગવડ વિકસાવેલ છે. હવે જો તેઓ ઉંઝામાંથી સાર્થમાં અને સાર્થમાંથી ઉંઝામાં દસ્તાવેજોને રુપાંતર કરવાનું સોફ્ટવેર બનાવી આપે તો કાર્ય ઘણું સરળ થઈ જાય.
આમેય આપણે વિશાલભાઈને સન્માનવાના જ છીએ તો સન્માન સમારંભ વખતે વિશાલભાઈ પાસે ઉંઝા થી સાર્થ અને સાર્થથી ઉંઝા માં રુપાંતરણ સોફ્ટવેરની રીટર્ન ગીફ્ટ ની આશા રાખી શકાય?
શું કહો છો વિશાલભાઈ?