મીત્રો,
“ડરપોક” વ્યક્તિ કદી સ્વસ્થ રહી શકે? યાદ છે ને આ વર્ષનો મંત્ર છે “સ્વ-સ્થિતિ એટલે સ્વસ્થતા”.
શ્રીમદ ભગવદગીતાનો ૧૬મો અધ્યાય દૈવાસૂર સંપદવિભાગ યોગ છે. તેમાં દૈવી તેમજ આસુરી સંપતિનું વર્ણન કરવામાં આવેલ છે. પ્રથમ દૈવી સંપતી છે – અભય.
નીર્ભય અને અભયમાં તફાવત છે. નીર્ભય એટલે જે કોઈનાથી ન ડરે તેવું જ્યારે અભય એટલે જે કોઈનાથી ન ડરે અને જેનાથી કોઈ ન ડરે તેવું. વાઘ સિંહ નિર્ભય હોઈ શકે પણ અભય નહીં કારણકે તેનાથી ડરનારા બીજા અન્ય નાના નાના પ્રાણીઓ હોય છે. જ્યારે અભયરુપ દૈવી સંપતી ધરાવનાર વ્યક્તિ નથી કોઈથી ડરતી કે નથી કોઈને ડરાવતી.
આજે જરા સ્વામી વિવેકાનંદની “અભય વાણી” જોઈ લેશુ ને?
આમેય સમયાંતરે પુનરાવર્તન જરુરી હોય છે.
શું કહો છો કેશુબાપા?