ભા.જ.પા. જીત્યું – આનંદ છે. કામ કર્યું છે પણ હવે જનતાની અપેક્ષા વધારે રહેશે.
આજથી જ ઘર બનાવવા લાગો ત્યારે પાંચ વર્ષે કદાચ ટાર્ગેટ પુરો થશે. જો ટાર્ગેટ પુરો થશે અને મકાનોની ફાળવણી યોગ્ય રીતે જરુરીયાતમંદોમાં થશે તો તેની પછીના પાંચ વર્ષ પાક્કા તે જનતા જનાર્દન તરફથી મતદારો ખાત્રી આપે છે.
જો કે રાજ્ય ચલાવવામાં માત્ર ઘર નથી બનાવવાના હોતા.
રાજ્યના પ્રત્યેક નાગરીકને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ.
નાગરીકોના જાન માલનું રક્ષણ થવું જોઈએ.
પ્રત્યેકને વિકસવાની તક પ્રાપ્ત થવી જોઈએ.
શિક્ષણ અને આરોગ્ય વ્યાજબી દામે મળવા જોઈએ અને નાણાના અભાવે એક પણ વ્યક્તિ અશિક્ષિત કે બીમાર ન રહે તેવી સગવડતાઓ આપવી જોઈએ.
માતા, બહેનો અને દિકરીઓ સન્માનથી જીવે અને ગૌરવવંતા ગુજરાતને ગૌરવવંતુ જાળવી રાખવા માટે સદૈવ પ્રસન્ન રહે તેવી વ્યવસ્થા થવી જોઈએ.
વિરોધ પક્ષના બે દિગ્ગજ અને જાગૃત નેતા હાર્યા તેનું દુ:ખ છે.
૧. શક્તિસિંહ ગોહિલ
૨. અર્જુન મોઢવાડીયા
હવે વ્યાજબી વિરોધ કોણ કરશે?
શંકરસિંહ અને કેશુભાઈ શું કરશે તે હવે જોવા મળશે.
તમારી સાથે એકદમ સહમત છું .
કાંધલભાઇ છે કેશુભાઇ છે અને શંકરસિંહ બાપુ છે. (બે પુર્વ મુખ્યમંત્રીઓ).