રાજા વિક્રમાદિત્યે શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો તે વાતને આજે ૨૦૬૮ વર્ષના વહાણાં વાય ગયાં. આજે આપણે તે પ્રતાપી રાજા વિક્રમાદિત્યની સંવત ૨૦૬૯માં વર્ષમાં પ્રવેશીએ છીએ ત્યારે આજના રાજવીઓને ઢંઢોળીએ કે એક રાજવી ધારે તો જનકલ્યાણના કેટલા કાર્યો કરી શકે તે વિક્રમાદિત્ય પાસેથી શીખે.
આપણાં ૫૫૦થી વધારે સાંસદોના ૧૧૦૦થી વધારે હાથ ધારેતો દેશની કાયકલ્પ કરી શકે છે. હે વિશ્વની સહુથી મોટી લોકશાહીના સાંસદો આ નવા વર્ષે મહાન ભારતની દીન જનતા આપને બે હાથ જોડીને પ્રાર્થે છે કે દેશહિત માટે થઈ શકે તો કશુંક કાર્ય કરજો પણ દેશદ્રોહનું કાર્ય મહેરબાની કરીને બંધ કરજો.
સહુને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..