મિત્રો,
બ્લોગજગતમાં ચારે તરફ દિવાળીનું માહોલ છવાઈ ગયું છે. ક્યાંક વીરરસ છલકાઈ રહ્યો છે. ક્યાંક વેપારીઓની બોલબાલા છે. કેટલાક લોકો લેખ કે કાવ્યો લખીને ફટાકડા ફોડી રહ્યાં છે. લેખ ન લખી શકે તે મેગેઝીન બહાર પાડીને તેમનીય આસપાસ લેખકોની હયાતી છે તેવું આવેશ પૂર્વક જણાવી રહ્યાં છે. આમાં બીચારા પરાણે કે જોરજુલમથી સ્વચ્છ્તા જાળવતા શૂદ્રોને તો આપણાં દેશમાં કોણ પુછે? તેઓ બીચારા દિવાળી પછી બોણી માગવા આવશે તોયે મોટા ઘરના શેઠીયાઓ તેમને હડધૂત કરશે.
નવરાત્રીમાં ઘાઘરા પહેરીને ઝુમી લીધું હોય તો હવે ઘુઘરા ખાવાનો સમય આવી ગયો કે નહીં?