સૂત્ર ૧૧ : જેઓ બીનજરુરી ને જરુરી સમજવાની ભૂલ કરે છે તેઓ ગલત વિચારોમાં વસે છે અને ક્યારેય જરુરી છે તેની પાસે પહોંચતા નથી.
સૂત્ર ૧૨ : જેઓ જરુરી ને જરુરી અને બીનજરુરી ને બીનજરુરી સમજે છે તેઓ સાચા વિચારોમાં વસે છે અને જરુરી છે તેની પાસે પહોંચે છે.
અહીં વિવેકબુદ્ધિ કેટલી આવશ્યક છે તે જણાઈ આવે છે. મનુષ્યને સહુથી મોટી ભેટ કોઈ હોય તો તે વિવેકબુદ્ધીની છે. મોટા ભાગના મનુષ્યો બીનજરુરી બાબતોમાં સમય અને શક્તિ વેડફી નાખતા હોય છે. જે લોકો શું જરુરી છે અને શું બીનજરુરી છે તે જાણે છે તેઓ જરુરી બાબતો પ્રાપ્ત કરે છે અને બીનજરૂરી બાબતોથી અળગા રહે છે.
ભગવદ ગીતામાં ૧૮માં અધ્યાયમાં બુદ્ધિના ત્રણ ભેદ કહ્યાં છે.
શું કરવું શું છોડવું, એને જાણે જે,
બંધ મોક્ષ જાણે વળી બુદ્ધિ સાત્વિક તે.
શું કરવું શું છોડવું, તેમ જ ધર્મ અધર્મ,
રાજસ બુદ્ધિ તેહનો જાણે પૂર્ણ ન મર્મ.
માને ધર્મ અધર્મને અજ્ઞાન થકી જે,
ઉલટું સમજે સર્વનું, બુદ્ધિ તામસ તે.
મનુષ્યે જે કોઈ ઉપાયથી થઈ શકે તે રીતે બુદ્ધિને સાત્વિક બનાવવી જોઈએ. અહીં ફરી અઘરો પ્રશ્ન તો છે કે : બુદ્ધિને સાત્વિક કેવી રીતે બનાવવી? કોઈ મદદ કરશો?