બંધન મને ક્યારેય પસંદ હતુ નહી અને હશે પણ નહીં.
થોડા વર્ષો પહેલાં એક દિવસ કવિતા સમસ્યાઓથી અકળાઈને ધમ પછાડા કરતી ચાલી ગઈ અને કહેતી ગઈ કે હું મારા પિયર જાઉ છું. મને ઈચ્છા થશે ત્યારે હું પાછી આવીશ.
મેં માત્ર એટલું કહ્યું કે :
સારુ.
તે જાજો વખત પિયર રહી ન શકી. તેના પપ્પા અને મોટી બહેને તેને સમજાવી અને તેનો ફોન આવ્યો કે અહીં આવ.
હું સાસરે ગયો. મને કહે હું તમારી સાથે આવું છું.
મે કહ્યું :
સારું.
પ્રારબ્ધ અનુસાર વ્યક્તિઓ આપણાં જીવનમાં આવતી હોય છે અને ચાલી જતી હોય છે.
આવ્યા ત્યારે આનંદ અને જાય ત્યારે શાંતિ.
આટલું સમજાઈ જાય તો જીવન હંમેશા આનંદ અને શાંતિ સભર બની રહે.