Daily Archives: 24/09/2012

રામાયણ – સ્વામી વિવેકાનંદ

આપણા સહુનું લક્ષ્ય એક જ છે : અનિષ્ટનો વિનાશ. તમે તમારી રીતને અનુસરો, હું મારી રીતને અનુસરીશ. માત્ર આપણે આદર્શનો વિનાશ ન કરવો જોઈએ. પશ્ચિમને હું એમ નથી કહેતો કે તમે મારી રીતને અનુસરો; જરૂર નહીં. લક્ષ્ય એક જ છે, પણ તે પ્રાપ્ત કરવાની રીતો એકસરખી ન પણ હોય. તેથી ભારતના આદર્શો વિશે સાંભળ્યા પછી હું આશા રાખું છું કે તમે એ જ રીતે ભારતને કહેશો : ’અમે જાણીએ છીએ કે આદર્શ તો આપણા બંને માટે યોગ્ય જ છે. તમે તમારા ધ્યેયને અનુસરો; તમે તમારી રીતે તમારા માર્ગે સંચરો; પ્રભુ તમને સહાય કરો !’ પૂર્વ અને પશ્ચિમને મારા જીવનનો સંદેશ એ છે કે આદર્શોની ભિન્નતાના કારણે ઝઘડો ન કરો. હું તમને એમ બતાવવા માંગુ છું કે ગમે તેટલા વિરોધી દેખાતા હોવા છતાં પણ બંનેનું લક્ષ્ય તો એક જ છે. આ જીવનની ભુલભુલામણીમાંથી આગળ વધતા વધતા આપણે સહુ એકબીજાને કહીએ: ’પરમાત્મા તમને સહાય કરો !’


Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , | 2 Comments

સ્વામી વિવેકાનંદ (ટુંકુ જીવનચરિત્ર) – ૧૪


વધુ આવતી કાલે :


Categories: જીવનચરિત્ર | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.