ન્યાયમૂર્તિ સર સુબ્રમણ્યમ ઐયરને શિકાગોથી તારીખ ૩જી જાન્યુઆરી ૧૮૯૫ના રોજ લખેલ પત્રનો આ પ્રથમ ફકરો છે. પુરો પત્ર વાંચવા છેવાડે આપેલી લીંક પર ક્લિક કરશો.
સમાજનું ધરમૂળથી પરિવર્તન કરવાની જરૂર છે, તેવા ભારતના સુશિક્ષિત વર્ગના વિચારની સાથે હું સંમત છું. પણ તે કરવું કેવી રીતે? સુધારકોની ખંડનાત્મક યોજનાઓ નિષ્ફળ ગઈ છે. મારી યોજના આ છે. ભૂતકાળમાં આપણે જે કાંઈ કર્યું છે તે ખરાબ નથી, બેશક ખરાબ નથી. આપણો સમાજ ખરાબ નહીં પણ સારો છે; માત્ર મારે તેને વધારે સારો બનાવવો છે. અસત્યમાંથી સત્યમાં નહીં, ખરાબમાંથી સારામાં નહીં, પણ સત્યમાંથી ઊંચા સત્યમાં, સારામાંથી વધારે સારામાં, શ્રેષ્ઠમાં જવાનું છે. મારા દેશબંધુઓને હું કહું છું કે તેમણે અત્યાર સુધી સારું કર્યું છે; હવે તેથીયે વધારે સારું કરવાનો સમય આવ્યો છે.
વધુ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો :