૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગો – વિશ્વધર્મ પરિષદમાં અપાયેલ આ વક્તવ્ય ઘણું જાણીતું છે. પ્રવચનને અંતે સ્વામી વિવેકાનંદ એવી આશા વ્યક્ત કરે છે કે :
આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતાં જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો સર્વ ઝનૂનવાદોનો અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.
આજે ય આપણે જોઈએ છીએ કે સ્વામીજીની આશા સંપૂર્ણ પણે ફળીભૂત થઈ નથી. સર્વ પ્રકારની સંકુચિત વૃત્તિઓ અને સર્વ ઝનુનવાદોનો મૃત્યુઘંટ વગાડવા માટે આજની તારીખે ય અથાક પરીશ્રમ અને ભગીરથ પુરુષાર્થની આવશ્યકતા છે.