ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૩૭ |
सत्तामात्रं केवलविज्ञानमजं सत् सूक्ष्मं नित्यं तत्त्वमसीत्यात्मसुताय । साम्नामन्ते प्राह पिता यं विभुमाद्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३७॥ |
સત્તામાત્ર, કેવલ વિજ્ઞાનરુપ, અજન્મા, સદરૂપ, સુક્ષ્મ ને નિત્ય તે તું છે તેમ પોતાના પુત્રને સામવેદની છંદોગ્યોપનિષદમાં પિતા જે વ્યાપક તથા આદ્યને કહેતા હતા તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૩૮ |
मूर्तामूर्ते पूर्वमपोह्याथ समाधौ दृश्यं सर्वं नेति च नेतीति विहाय । चैतन्यांशे स्वात्मनि सन्तं च विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३८॥ |
પ્રથમ સાકારને ને નિરાકારને દૂર કરીને પછી બ્રહ્મમાં સર્વ દૃશ્યને આ નહિ, ને આ નહિ, એમ ત્યજીને ચેતન સ્વભાવવાળા પોતાના આત્મામાં રહેલા જેને વિદ્વાનો જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૩૯ |
ओतं प्रोतं यत्र च सर्वं गगनान्तं योऽस्थूलाऽनण्वादिषु सिद्धोऽक्षरसंज्ञः । ज्ञाताऽतोऽन्यो नेत्युपलभ्यो न च वेद्य- स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३९॥ |
આકાશ સુધી સર્વ જેમાં ઓતપ્રોત છે, જે અસ્થૂલ તથા અનણુ આદિમાં અક્ષર નામથી પ્રસિદ્ધ છે, આનાથી અન્ય જ્ઞાતા પ્રાપ્ત થવા યોગ્ય નથી તે સંસારાંધકારની નિવૃત્તિ – બાધ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. |
૪૦ |
तावत्सर्वं सत्यमिवाभाति यदेतद् यावत्सोऽस्मीत्यात्मनि यो ज्ञो न हि दृष्टः । दृष्टे यस्मिन्सर्वमसत्यं भवतीदं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥४०॥ |
જ્યાં સુધી તે હું છું એમ દેહમાં જે જ્ઞાતા છે તેનો સાક્ષાત્કાર થયો નથી ત્યાં સુધી જે આ સર્વ છે તે સત્યના જેવું જણાય છે, અને તેનો સાક્ષાત્કાર થયે સતે આ સર્વ અસત્ય થાય છે તે સંસારાંધકારની નિવૃત્તિ – બાધ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું. |