Daily Archives: 17/06/2012

શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૫ થી ૮ / ૪૪)

ક્ર્મ

શ્લોક

શબ્દાર્થ

आचार्येभ्यो लब्धसुसूक्ष्माऽच्युततत्त्वा

वैराग्येणाभ्यासबलाच्चैव द्रढिम्ना ।

भक्त्यैकाग्रध्यानपरां यं विदुरीशं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥५॥

આચાર્યો પાસેથી જેણે વૈરાગ્યવડે ને અભ્યાસના બલથી જ અતિસુક્ષ્મ અવિનાશી તત્વ જાણ્યું છે એવા, અને દૃઢ ભક્તિ વડે એકાગ્ર-ધ્યાન પરાયણ, જે ઈશને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર ઈશને હું સ્તવું છું

प्राणानायम्योमिति चित्तं ह्रदि रुद्‌ध्वा

नान्यत्स्मृत्वा तत्पुनरत्रैव विलाप्य ।

क्षीणे चित्ते भादृशिरस्मीति विदुर्यं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥६॥

ઈંદ્રિયોના બાહ્યવેગોને પ્રશાંત કરી, ૐ તેમ ચિત્તને હ્રદયમાં રુંધી, અન્યનું સ્મરણ નહિ કરી, તેને પુન: અહીં જ વિલીન કરી ચિત્ત ક્ષીણ થયે સ્વયંપ્રકાશ ચૈતન્ય હું છું તેમ જેને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું.

यं ब्रह्माख्यं देवमनन्यं परिपूर्णं

ह्रत्स्थं भक्तैर्लभ्यमजं सूक्ष्ममतर्क्यम् ।

ध्यात्वात्मस्थं ब्रह्मविदो यं विदुरीशं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥७॥

જે દેવ, અનન્ય, પરિપૂર્ણ, હ્રદયમાં રહેલા, ભક્તો વડે પ્રાપ્ત થવા યોગ્ય, અજ, સૂક્ષ્મ, અતર્ક્ય ને પોતાનામાં રહેલા બ્રહ્મનામના તત્વનું ધ્યાન કરી બ્રહ્મવેત્તાઓ જે પરમાત્માને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ – કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું.

मात्रातीतं स्वात्मविकाशात्मविबोधं

ज्ञेयातीतं ज्ञानमयं ह्रद्युपलभ्यम् ।

भावग्राह्यानन्दमनन्यं च विदुर्यं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥८॥

જે ઈંદ્રિયોથી પર, સ્વાત્માના પ્રકાશથી આત્મજ્ઞાનરૂપ, જ્ઞેયથી પર, જ્ઞાનમય, હ્રદયમાં પ્રતીત થવા યોગ્ય, ભાવ વડે ગ્રાહ્ય, આનંદરૂપ અને અનન્ય જેને જ્ઞાનીઓ જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમતત્વનો હું સ્તુતિ ધ્યાનાદિ વડે અભેદભાવે સાક્ષાત્કાર કરું છું.
Categories: અધ્યાત્મ / યોગ, સ્તોત્ર | Tags: , | 1 Comment

Create a free website or blog at WordPress.com.