એવી રીતે આત્માના ધર્મોના અધ્યારોપનું પ્રતિપાદન કરીને હવે તેના અપવાદના પ્રકારને કહે છે:
પ્રાતિભાસિકજીવસ્ય લયે સ્યુર્વ્યાવહારિકે |
તલ્લયે સચ્ચિદાનન્દા: પર્યવસ્યન્તિ સાક્ષિણિ || ૪૩ ||
ઈતિ શ્રીમત્પરમહંસપતિવ્રાજકાચાર્યશ્રીમચ્છંકરાચાર્યવિરચિતા શ્રીવાક્યસુધા સમ્પૂર્ણા ||
શ્લોકાર્થ:
પ્રાતિભાસિક જીવના સ્વભાવો વ્યવહારિકમાં લય પામે છે, ને તેના સચ્ચિદાનંદસ્વભાવો સાક્ષીમાં અંત પામે છે.
ટીકા:
સ્વપ્નાવસ્થાના પ્રાતિભાસિક જીવના સ્વભાવો જાગ્રદવસ્થાના વ્યાવહારિક જીવમાં લય પામે છે, અને જાગ્રદવસ્થાના વ્યાવહારિક જીવના સચ્ચિદાનંદાદિ સ્વભાવો સાક્ષિરૂપ જે પારમાર્થિક જીવ તેમાં પર્યવસન પામે છે, એવી રીતે કલ્પિતનો અપવાદ થવાથી અધિષ્ઠાનરૂપ સત જ અવશેષ રહે છે.
તે પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસોના ને પરિવ્રાજકોના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા વાક્યસુધા નામના ગ્રંથરૂપ રત્નની શ્રીનાથશર્મપ્રણીત ભાવાર્થ દીપિકા નામની ટીકા પૂરી થઈ.
નોંધ:
કોઈ પ્રતમાં આ શ્લોકની પૂર્વ નીચેના બે શ્લોકો વધારે જોવામાં આવે છે:
સાક્ષિસ્થા: સચ્ચિદાનન્દા: સમ્બન્ધા વ્યાવહારિકે |
તદદ્વારેણાનુગચ્ચન્તિ તથૈવ પ્રાતિભાસિકે ||
લયે ફેનસ્ય તદ્ધર્મા દ્રવદ્યા: સ્યુસ્તરંગકે |
તસ્યાપિ વિલયે નીરે તિષ્ઠન્ત્યેતે યથા પુરા ||
સાક્ષીમાં રહેલા સત, ચિત ને આનંદરૂપ સ્વભાવો વ્યાવહારિક સંબંધ પામેલા છે, પછી તે દ્વારા પ્રાતિભાસિક જીવમાં તેવી રીતે જ અનુવૃત્તિ પામે છે. જેમ ફીણનો લય થયે તેમાં રહેલા તેના પ્રવાહીપણું વગેરે ધર્મો તરંગમાં સમાય છે, ને તરંગનો પણ જલમાં વિલય થાય છે ત્યારે તે તરંગ ને ફીણ પૂર્વની પેઠે જલરૂપ થઈ જાય છે, તેમ આભાસની નિવૃત્તિ થયે વ્યાવહારિક ને પ્રાતિભાસિક જીવમાં અનુગત થયેલા સત, ચિત ને આનંદરૂપ સ્વભાવો સાક્ષીમાં મળી જાય છે.
અતુલભાઈ, આભાર. બહુ ઉપયોગી વાચન સામગ્રી મળી.
શ્રી દિપકભાઈ,
શ્રી વાક્ય સુધા આપ e-Book સ્વરુપે નીચેની લિન્ક પરથી મેળવી શકશો.
Click to access sri_vakya_sudha.pdf