दुर्जन: सज्जनो भूयात
सज्जन: शांतिमाप्नुयात्।
शान्तो मुच्येत बंधेम्यो
मुक्त: चान्यान् विमोच्येत् ॥
દુર્જન સજ્જન બને
સજ્જન શાંત બને
શાંતજન બંધનોથી મુક્ત થાય
મુક્ત હોય તે અન્યને મુક્ત કરે
दुर्जन: सज्जनो भूयात
सज्जन: शांतिमाप्नुयात्।
शान्तो मुच्येत बंधेम्यो
मुक्त: चान्यान् विमोच्येत् ॥
દુર્જન સજ્જન બને
સજ્જન શાંત બને
શાંતજન બંધનોથી મુક્ત થાય
મુક્ત હોય તે અન્યને મુક્ત કરે
પ્રાતિભાસિક જીવના સ્વરૂપને કહી તેનાથી ભિન્ન વ્યાવહારિક જીવને કહે છે:
પ્રાતિભાસિકજીવસ્તુ જગતત્પ્રાત્તિભાસિકમ |
વાસ્તવં મન્યતે યસ્તુ મિથ્યેતિ વ્યાવહારિક: || ૩૯ ||
શ્લોકાર્થ:
પ્રાતિભાસિક જીવ તો તે પ્રાતિભાસિક જગતને વાસ્તવિક માને છે. જે તેને મિથ્યા માને છે તે વ્યાવહારિક જીવ છે.
ટીકા:
સ્વપ્નાવસ્થાવાળો પ્રાતિભાસિક જીવ તો છીપમાં કલ્પાયેલા રૂપાના જેવા કલ્પિત માત્ર પ્રતીત થનારા સ્વપ્નના જગતને સત્ય માને છે.
જે એ સ્વપ્નના જગતને મિથ્યા જાણે છે તે વ્યાવહારિક જીવ કહેવાય છે.
એવી રીતે પ્રાતિભાસિક જીવથી વ્યાવહારિક જીવનો ભેદ કહીને હવે વ્યાવહારિક જીવથી પારમાર્થિક જીવનો ભેદ કહે છે:
વ્યાવહારિકજીવસ્તુ જગત્તદ્વયાવહારિકમ |
સત્યં પ્રત્યેતિ મિથ્યેતિ મન્યતે પારમાર્થિક: || ૪૦ ||
શ્લોકાર્થ:
વ્યાવહારિક જીવ તો તે વ્યાવહારિક જગતને સત્ય જાણે છે, ને જે તે મિથ્યા છે તેમ માને છે તે પારમાર્થિક છે.
ટીકા:
જાગ્રત દશા વાળો વ્યાવહારિક જીવ પ્રતીત થતા આ વ્યાવહારિક જગતને ત્રણે કાલમાં રહેનારું માને છે. જે જીવ આ પ્રતીત થતું જગત મિથ્યા છે તેમ માને છે તે જીવ પારમાર્થિક કહેવાય છે.