Daily Archives: 13/06/2012

दुर्जन: सज्जनो भूयात – આદિ શંકરાચાર્ય

दुर्जन: सज्जनो भूयात
सज्जन: शांतिमाप्नुयात्।
शान्तो मुच्येत बंधेम्यो
मुक्त: चान्यान् विमोच्येत् ॥

દુર્જન સજ્જન બને
સજ્જન શાંત બને
શાંતજન બંધનોથી મુક્ત થાય
મુક્ત હોય તે અન્યને મુક્ત કરે

Categories: પ્રેરણા / પ્રોત્સાહન, પ્રેરણાદાયી સાહિત્ય, સંસ્કૃત | Leave a comment

શ્રી વાક્યસુધા (૩૯,૪૦/૪૩) – આદિ શંકરાચાર્ય

પ્રાતિભાસિક જીવના સ્વરૂપને કહી તેનાથી ભિન્ન વ્યાવહારિક જીવને કહે છે:

પ્રાતિભાસિકજીવસ્તુ જગતત્પ્રાત્તિભાસિકમ |
વાસ્તવં મન્યતે યસ્તુ મિથ્યેતિ વ્યાવહારિક: || ૩૯ ||

શ્લોકાર્થ:
પ્રાતિભાસિક જીવ તો તે પ્રાતિભાસિક જગતને વાસ્તવિક માને છે. જે તેને મિથ્યા માને છે તે વ્યાવહારિક જીવ છે.

ટીકા:
સ્વપ્નાવસ્થાવાળો પ્રાતિભાસિક જીવ તો છીપમાં કલ્પાયેલા રૂપાના જેવા કલ્પિત માત્ર પ્રતીત થનારા સ્વપ્નના જગતને સત્ય માને છે.

જે એ સ્વપ્નના જગતને મિથ્યા જાણે છે તે વ્યાવહારિક જીવ કહેવાય છે.


એવી રીતે પ્રાતિભાસિક જીવથી વ્યાવહારિક જીવનો ભેદ કહીને હવે વ્યાવહારિક જીવથી પારમાર્થિક જીવનો ભેદ કહે છે:

વ્યાવહારિકજીવસ્તુ જગત્તદ્વયાવહારિકમ |
સત્યં પ્રત્યેતિ મિથ્યેતિ મન્યતે પારમાર્થિક: || ૪૦ ||

શ્લોકાર્થ:
વ્યાવહારિક જીવ તો તે વ્યાવહારિક જગતને સત્ય જાણે છે, ને જે તે મિથ્યા છે તેમ માને છે તે પારમાર્થિક છે.

ટીકા:
જાગ્રત દશા વાળો વ્યાવહારિક જીવ પ્રતીત થતા આ વ્યાવહારિક જગતને ત્રણે કાલમાં રહેનારું માને છે. જે જીવ આ પ્રતીત થતું જગત મિથ્યા છે તેમ માને છે તે જીવ પારમાર્થિક કહેવાય છે.


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Leave a comment

Blog at WordPress.com.