Daily Archives: 10/06/2012

साहित्य संगीत कला विहीन:

साहित्य संगीत कला विहीन: साक्षात पशु: पुच्छ:विषाण हीन ।
तृणम न: खाध्नापि तद भागदेयं परम पशुनाम ।

જે વ્યક્તિને સાહિત્ય અથવા સંગીત અથવા તો કલામાં રસ નથી તે પશુ સમાન છે. પશુઓનું સદભાગ્ય છે કે તે પરમ પશુ સમાન હોવા છતાં તેનો ચારો નથી ચરી જતા (અપવાદ – આજના રાજકારણીઓ, ઉદાહરણ – લાલુપ્રસાદ યાદવ)

Categories: અવનવું, ચિંતન, સંસ્કૃત | Tags: , , | Leave a comment

શ્રી વાક્યસુધા (૩૬/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે જીવના તથા જગતના સ્વરૂપને કહે છે:

જીવો ધીસ્થશ્ચિદાભાસો જગત્સ્યાદ્ભૂતભૌતિકમ |
અનાદિકાલમારભ્ય મોક્ષાત્પૂર્વમિદં દ્વયમ || ૩૬ ||

શ્લોકાર્થ:
બુદ્ધિમાં રહેલો ચિદાભાસ જીવ છે, ને ભૂત ભૌતિક જગત છે. અનાદિકાલથી માંડીને મોક્ષની પૂર્વે આ બંને છે.

ટીકા:
બુદ્ધિમાં પડેલું ચેતનનું પ્રતિબિંબ તે અવિદ્યાએ કલ્પેલો જીવ છે, અને આકાશાદિ પાંચ ભૂતો તથા એ ભૂતોમાંથી ઉપજેલાં પ્રાણીઓનાં શરીરો તથા જડ પદાર્થો એ જગત છે. આમાં જીવ ભોક્તા છે, ને જગત ભોગ્ય છે. આ બંને અખંડ બ્રહ્મમાં અવિદ્યાવડે કલ્પિત છે. અનાદિ કાલથી માંડીને અવિદ્યાની નિવૃત્તિરૂપ મોક્ષની પૂર્વે આ જીવ ને જગત પ્રતીત થયા કરે છે, બાધ પામતાં નથી.


નોંધ:
કોઈ પ્રતમાં ૩૬-૩૭ શ્લોક નીચે પ્રમાણે જોવામાં આવે છે:

જીવો ધીસ્થશ્ચિદાભાસો ભવેદ્ભોક્તા હિ કર્મકૃત |
ભોગ્યરુપમિદં સર્વં, જગત્સ્યાદ્ભૂતભૌતિકમ || ૩૬ ||
અનાદિકાલમારભ્ય, મોક્ષાર્પૂર્વમિદં દ્વયમ |
વ્યવહારે સ્થિતં તસ્માદુભયં વ્યાવહારિકમ || ૩૭ ||

બુદ્ધિમાં રહેલો ચિદાભાસ જીવ છે, તે કર્મ કરનારો ને ભોક્તા છે. આ ભૂતો અને ભૂતોના કાર્યરૂપ સર્વ જગત ભોગ્યરૂપ છે. અનાદિકાલથી આરંભીને મોક્ષની પૂર્વ અવસ્થા સુધી આ ભોક્તા ને ભોગ્ય બંને વ્યવહારમાં સ્થિત છે, તેથી તે બંને વ્યાવહારિક છે.


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શબ્દપ્રમાણથી અનુભૂતીપ્રમાણ વધારે વિશ્વસનીય છે (સૌરાષ્ટ્ર સમાચારનું જુઠ્ઠાણું – શ્રી કાંતી ભટ્ટે વક્તવ્ય આપેલું)


મીત્રો,

ગઈ કાલે ભાવનગર વૃદ્ધાશ્રમમાં વરિષ્ઠ પત્રકાર શ્રી કાંતી ભટ્ટ વક્તવ્ય આપવાના છે તેવા સમાચાર સૌરાષ્ટ્ર સમાચારમાં વાંચીને હું તેમને સાંભળવા માટે વૃદ્ધાશ્રમ ગયો હતો. ત્રણ કવિઓને સાંભળ્યા બાદ તેમણે કહેલું કે પત્રકારનું કાર્ય તો લેખનનું છે વક્તવ્ય આપવાનું નહી. તેઓ થાકેલા પણ હતાં. વળી વહેલા સુઈ જવાની ટેવ વાળા હોવાથી મોડે સુધી જાગવાનું તેમને નહીં ફાવે તેમ કહીને તેમણે વક્તવ્ય આપ્યું નહોતું. શ્રોતાઓની નારાજગી છતાં તેમનું વક્તવ્ય સાંભળ્યા વગર જ કાર્યક્રમને સમાપ્ત ઘોષીત કરવો પડેલો.

આજે સૌરાષ્ટ્ર સમાચાર લખે છે કે તેમણે વક્તવ્ય આપેલું. તો સૌરાષ્ટ સમાચારના પત્રકારને ખુલ્લો પ્રશ્ન છે કે તેમણે શું વક્તવ્ય આપ્યું હતું? કેટલો સમય આપ્યું હતું? ક્યાં વિષય પર આપ્યું હતું? તે જણાવે :

Categories: અવનવું, ટકોર, પ્રશ્નાર્થ, લોકમત, સમાચાર | Tags: , , , , , , | Leave a comment

Blog at WordPress.com.