જ્યારે આપણે સર્વ કાલ્પનિક સંબધોનો ત્યાગ કરીએ છીએ ત્યારે આપણો સહુની સાથે સંબધ રહિત સંબધ સ્થપાઈ જાય છે.
આ સંબધમાં
જોડ-તોડ નથી હોતી
ગમો-અણગમો નથી હોતો
મારું-તારુ નથી હોતુ
નાનો-મોટો નથી હોતો
ધર્મ-મજહબ નથી હોતો
સ્ત્રી-પુરુષ નથી હોતા
જડ-ચેતન નથી હોતા
ત્યાં હોય છે આપણા અસ્તિત્વનો આનંદ
અને
સર્વના અસ્તિત્વનો સ્વીકાર
ત્યાં કોઈ આવે તો હરખાઈ જવાનું બનતું નથી
અને
કોઈ જાય તો દુ:ખી થવાનું હોતું નથી
એક એવો અદભુત સંબધ
કે જ્યાં અલિપ્ત રહેવા છતાયે આપણે સહુની સાથે સંકળાયેલા હોઈએ
અને તેમ છતા
આ સાંકળ ગુલામીની ઝંઝીર નથી હોતી
તે તો હોય છે
સ્વીકાર અને અસ્વીકાર રહિત
જે કાઈ છે તેનો આનંદ
અને જે નથી તે ન હોવાની શાંતિ
જ્યારે આપણને આપણી સમક્ષ આવતુ અને જતુ બધું સ્વીકાર્ય બનશે ત્યારે આપણે રાગ અને દ્વેષની ગુલામીમાંથી મુક્ત થઈશું.