મીત્રો,
આજે સહકુટુંબ ઘણાં બધા સગા / સ્નેહી / સ્વજનોને મળવા ગયાં. બાની ઈચ્છા હતી કે તેમના સ્વજનોને મળવું છે – વડીલોની ઈચ્છાને તો માન આપવું જોઈએ ને?
હેમાબહેનના ઘરે ગયાં. તેમણે અમને સહકુટુંબ જમાડ્યા. અમને સહુને આનંદ થયો.
આજે ભજનામૃત વાણી અને gmail ના પાસવર્ડ બદલ્યાં. મારે ય એકાઉન્ટ ખોલવું હોય તો keypass ની મદદથી ખોલવું પડે છે. કોઈ હેકરને મારા આ એકાઉન્ટના પાસવર્ડ મળે તો મને તરત જાણ કરશો અને શું કરવાથી પાસવર્ડ કે કોમ્પ્ય઼ુટર હેક ન થઈ શકે તે જણાવશો – જાણ કરનારને કશો બદલો આપવામાં નહીં આવે કે તેમની સાથે બદલાની ભાવના નહીં રાખવામાં આવે.
અનુકુળતાએ આવતા રહેજો –
પ્રતિભાવ આપતા રહેજો –
Like પર ક્લિક કરતા રહેજો –
આ સીવાય બીજું શું શું થઈ શકે તે ય કહેતા રહેજો –
આમાંથી કાઈ થાય કે ન થાય તો યે હસતા રહેજો – 🙂
પાસ વર્ડ બદલાવ્યો એ બહું સારું કર્યું આ કોમેન્ટ લખવાનો મોકો મળ્યો…..
શ્રી વોરાસાહેબ,
કોમેન્ટ લખવાનો મોકો તો કાયમ હોય છે – આપ આવતા રહો અને કોમેન્ટ લખતા રહો 🙂