Daily Archives: 26/10/2011

દીપાવલીના દિવસોમાં

મીત્રો,

દિપાવલીનો તહેવાર હોય અને મધુવનમાં ઉજવણી ન થાય તેવું બને? મીઠાઈ / ફરસાણ બન્યા છે. રંગોળી પુરાય છે. ફટાકડા ફોડાય છે. નવા નવા કપડાં અને ઘરેણા આ બધું છે. આ બધું હોય તો યે તેમાં જો એક બાબત ઉમેરાઈ જાય ને તો તહેવાર વહેવાર ન રહેતા ખરેખરો તહેવાર બની જાય. અને તે એક બાબતનું નામ છે ઉત્સાહ. જો આપણી અંદર ઉત્સાહ હશે તો પ્રત્યેક ક્ષણે તહેવાર છે અને જો ઉત્સાહ નહીં હોય તો – તહેવાર એક વહેવાર બની જશે.


શ્રી રામકૃષ્ણ મીશન રાજકોટના અધ્યક્ષ શ્રી ધૃવેશાનંદજી મહારાજ કે જેઓ ૯મી નવેમ્બરે બાંગ્લાદેશ જવા રવાના થશે.

ચિંતા ન કરશો મારી પાસે પાસપોર્ટ – વીઝા કશું નથી તેથી હું એકલો ક્યાંય જવાનો નથી. જઈશું ત્યારે તો સહકુટુંબ જઈશું. 🙂


રંગોળી - સૂર્યપ્રકાશમાં

તેની તે રંગોળી - રાત્રે દિપકના ઉજાસમાં


શુભ દીપાવલી

Categories: ઉત્સવ | 8 Comments

આજનું ચિંતન – આગંતુક

દીપાવલીના શુભ દિવસે કોઈ તમારા આંગણે આવીને શુભેછા વ્યક્ત કરે તો બારણું વાસીને બેસી ન રહેશો – બહાર આવીને સ્વાગત કરજો – સાચું કહું છું તમારું હ્રદય લાગણીથી ભાવસભર બનશે 🙂

હસો મિત્રો – ઉદાસી સારી નથી લાગતી – હસશો ને?

Categories: ચિંતન | Tags: , | 8 Comments

Blog at WordPress.com.