Daily Archives: 15/10/2011

ગટાભાઈના ગતકડાં (૧)

મનમાં સંશયો – છે હતા અને રહેવાના;
તેથી કાઈ પરમની શોધ છોડી ન દેવાય.

અધૂરા તારણો – છે હતા અને રહેવાના;
તેથી કાઈ પ્રયોગો કરવાનું છોડી ન દેવાય.

જીવનમાં દુ:ખો – છે હતા અને રહેવાના;
તેથી આનંદપ્રાપ્તિના પ્રયાસો છોડી ન દેવાય.

કુદરતી ઝંઝાવાતો – છે હતા અને રહેવાના;
તેથી કાઈ ધાબળો ઓઢીને બેસી ન રહેવાય.

નીંદા અને કુથલી – છે હતા અને રહેવાના;
તેથી કાઈ મારે અને તારે મુંઝાઈ ન જવાય.

ગામ અને શહેર – છે હતા અને રહેવાના;
તેથી થાય તેવા થવાય અને ગામ વચ્ચે રહેવાય.

Categories: ગતકડાં | Tags: , , , , | Leave a comment

આજનું ચિંતન – આગંતુક

કડવા ચોથના ઉપવાસ કરવા કરતા વધારે મહત્વનું દાંપત્યજીવનમાંથી કડવાશને દૂર કરવાનું છે.

Categories: ચિંતન | Tags: , | Leave a comment

આજની કહેવત

સો સુનારકી,એક લુહારકી.

Categories: કહેવત / રુઢીપ્રયોગ | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.