Monthly Archives: October 2011

આનંદ સાથે વિશ્રામ

મીત્રો,

બ્લોગ-જગતમાં મારે જેટલું હાંસલ કરવું હતું તે કરી લીધું છે. હું તૃપ્ત છું – સંતૃપ્ત છું. હવે હું એક અનીશ્ચિત કાળ સુધીનો દિર્ઘ વિશ્રામ લેવા ઈચ્છું છું. આપ સહુ મીત્રો મારા હ્રદયમાં છો અને હું આપ સહુના.

વિશ્રામ કાળ દરમ્યાન :

ભજનામૃત વાણી તથા મધુવન પર નવી પોસ્ટ મુકવામાં નહીં આવે.

ફેસ બુક પર નવું કશું મુકવામાં નહીં આવે.

કોઈ બ્લોગ કે વેબ સાઈટને પ્રતિભાવ કે Like આપવામાં નહીં આવે.

મને ગમતા બ્લોગ કે વેબ સાઈટ અનુકુળતાએ વાંચીશ.

મીત્રો સાથે ઈ-મેઈલ થી કે ફોનથી સંપર્કમાં રહીશ પરંતુ દિવસ દરમ્યાન તે માટેનો નિશ્ચિત સમય હશે અને તેટલા મર્યાદિત સમય સિવાય બ્લોગ-જગત સાથેના સંપર્ક નહીવત રહેશે.


બ્લોગ યાત્રા દરમ્યાન હું ઘણું ઘણું શીખ્યો છું. હસ્યો છું, રડ્યો છું, ક્યારેક મારી તો ક્યારેક અન્યની ઉંઘ હરામ થઈ ગઈ છે. ક્યારેક પ્રેમના પ્રવાહમાં તણાયો છું તો ક્યારેક ભારોભાર ધિક્કારથી હણાયો છું. અહીં આપ સહું સાથે મેં અનેક પ્રકારના ભાવો અનુભવ્યા છે કે જેનું વર્ણન શબ્દાતિત છે.


અત્યાર સુધી મેં ઘણી વખત વિશ્રામ લીધો છે પણ તે વખતે નામરજી થી અથવા તો કશીક પ્રતિકુળતાને લીધે વિરામ લેવો પડ્યો હતો. આ વખતનો વિશ્રામ એક સંતોષ / આનંદ અને તૃપ્તિના ઓડકાર સાથેનો છે.

ફરી મળશું મીત્રો – એક બ્રેક કે બાદ.


Categories: ઉદઘોષણા | Tags: , , , | 3 Comments

આજનું ચિંતન – આગંતુક

માણસ પહેલાં પોતાની ઉપર કશીક છાપ મારે છે અને પછી આખી જીંદગી પોતે પોતાની મેળે ઓઢી લીધેલી છાપનો મુખવટો પહેરીને અભીનય કર્યા કરે છે. અરે આપણે સ્વતંત્ર હોઈએ તો કોઈ પણ પ્રકારની છાપ પોતાની ઉપર કે અન્ય ઉપર શા માટે મારવી જોઈએ?

Categories: ચિંતન | Tags: , | Leave a comment

તમે જુઓ તે અમે ન સાજન

https://bhajanamrutwani.files.wordpress.com/2011/10/tame_juo_te_ame_n_sajan.jpg
Categories: પ્રેમ | Tags: | Leave a comment

મારી સખી-કવિતા

મારી સખી-કવિતા

મીત્રો,

દરેકનું જીવન અનેક ચઢાવ-ઉતાર વાળું હોય છે. મારા જીવનમાં યે ચઢાવ-ઉતાર ઓછા નથી આવ્યાં. છેલ્લાં પંદર વર્ષોમાં મારા જીવનમાં કવિતા જીવન-સંગીની બનીને આવી. તેણે મને શું નથી આપ્યું? આપણે ત્યાં પત્નિની વિભાવના જુદા જુદા કાર્ય દરમ્યાન જુદી જુદી કરવામાં આવી છે. જેમ કે :

..
કાર્યેષુ મંત્રી
કરણેષુ દાસી
ભોજ્યેષુ માતા
શયનેષુ રંભા
મનોનુકૂલા ક્ષમયા ધરિત્રી

એકની એક જીવનસંગીની અનેક ભૂમિકા નીભાવે છે.

કવિતા વિશે જ્યારે કશુંક કહેવાનું હોય તો કહી શકું કે તે મધુવનમાં આવી ત્યારથી અમારા જીવનમાં એક તાજગી પ્રવેશી છે. તેની હાજરી માત્રથી વાતાવરણ ભર્યું ભર્યું લાગે છે. તે ગુસ્સો કરે, વ્હાલ કરે, નીવેદન કરે, કશીક માગણી કરે, લાગણી વ્યક્ત કરે, રીસાય, ખીજાય, અબોલા લે કે કોઈ પણ ક્રીયા કરે તે દરેક વખતે તેની એક છટા, તેનું એક માધુર્ય એક લાવણ્ય પ્રગટ થાય.

એક ખાનગી વાત કહી દઉ કે તે જ્યારે પ્રસન્ન હોય ત્યારે હું સ્વસ્થ રહું છું અને મારા કાર્યો ઉત્સાહથી કરી શકું છું. જો તે છંછેડાઈ ગઈ હોય કે રીસાઈ ગઈ હોય તો મારા ગાત્રો ગળી જાય છે. હું અસ્વસ્થ થઈ જાઉ છું. હું ફરી પાછો ત્યારે સ્વસ્થ થઈ શકું છું કે જ્યારે તે પુન: પ્રસન્ન થાય.

સમગ્ર મધુવન પરિવારને તેણે સ્નેહ-પૂર્વક એક તાંતણે બાંધી લીધો છે અને અમારા કુટુંબના કેન્દ્ર સ્થાને રહીને તેણે જીવનને જીવવાલાયક બનાવી દીધું છે.

અંતે એક મુક્તક કહીને વિરમું :

ત્યાં લગી આશ સૃષ્ટિની – જ્યાં લગી ઉગતા ફૂલો
જીંદગી જીવવા જેવી – જ્યાં લગી કવિના કુળો

Categories: ઉદઘોષણા, કુટુંબ | Tags: , | 8 Comments

પ્રભુને પ્રેમપત્ર – સ્વામી એકરસાનંદજી

નોંધ: આ લેખ આર્ષદર્શન ત્રિમાસિકના ઓક્ટોબર ૨૦૧૧ના અંકમાંથી લેવામાં આવેલ છે.


Categories: આર્ષદર્શન | Tags: , , , | Leave a comment

પાસવર્ડ બદલ્યો

મીત્રો,

આજે સહકુટુંબ ઘણાં બધા સગા / સ્નેહી / સ્વજનોને મળવા ગયાં. બાની ઈચ્છા હતી કે તેમના સ્વજનોને મળવું છે – વડીલોની ઈચ્છાને તો માન આપવું જોઈએ ને?

હેમાબહેનના ઘરે ગયાં. તેમણે અમને સહકુટુંબ જમાડ્યા. અમને સહુને આનંદ થયો.

આજે ભજનામૃત વાણી અને gmail ના પાસવર્ડ બદલ્યાં. મારે ય એકાઉન્ટ ખોલવું હોય તો keypass ની મદદથી ખોલવું પડે છે. કોઈ હેકરને મારા આ એકાઉન્ટના પાસવર્ડ મળે તો મને તરત જાણ કરશો અને શું કરવાથી પાસવર્ડ કે કોમ્પ્ય઼ુટર હેક ન થઈ શકે તે જણાવશો – જાણ કરનારને કશો બદલો આપવામાં નહીં આવે કે તેમની સાથે બદલાની ભાવના નહીં રાખવામાં આવે.

અનુકુળતાએ આવતા રહેજો –
પ્રતિભાવ આપતા રહેજો –
Like પર ક્લિક કરતા રહેજો –
આ સીવાય બીજું શું શું થઈ શકે તે ય કહેતા રહેજો –

આમાંથી કાઈ થાય કે ન થાય તો યે હસતા રહેજો – 🙂

Categories: અવનવું | Tags: , | 2 Comments

શુભ રાત્રી

મીત્રો,

આજથી શરુ થતા નવા વર્ષનો પ્રથમ દિવસ આપનો યે મારી જેમ ઉત્સાહપૂર્ણ રહ્યો હશે.

ગુજરાતી બ્લોગ જગતના પ્રથમ દસ બ્લોગરોને વધાવવાની રાહ જોઈ હતી પણ આયોજકો તહેવારની ઉજવણીમાં વ્યસ્ત હશે તેથી પરીણામ જાહેર નહીં કરી શક્યા હોય તેમ લાગે છે. ટુંક સમયમાં આપણને વાચકોને પ્રિય તેવા ૧૦ બ્લોગરો / વેબસાઈટની યાદી પ્રાપ્ત થશે તેવી આશા છે.

આવતી કાલનો ભાઈબીજનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર સંબંધને સાર્થક કરે તેવો ઉજવશો તેવી શુભકામના.

નવું વર્ષ સહુને માટે મંગલમય નીવડે તેવી અભ્યર્થના.

શુભ રાત્રી.

Categories: શુભ રાત્રી | 1 Comment

વિક્રમ સંવંત ૨૦૬૮ નું સ્વાગત છે

મીત્રો,

મધુવનમાં વિક્રમ સંવત ૨૦૬૮ના સ્વાગતની એક ઝલક આપણે છબીઓ દ્વારા માણશું. એકલા એકલા ઉત્સવો માણવાનો આનંદ ન આવે. ઉત્સવોની મજા તો સમૂહમાં આવે. છબીઓમાં આપને રંગોળી, ફટાકડા (સોરી – મીઠાઈ અને ફરસાણ) અને અબાલવૃદ્ધોના ભાવ જોવા મળશે. ગાય પણ મધુવનમાં પોતાની બેઠક રાખે છે. મને ક્યાંય શોધશો નહીં – હું તો આપ સહુના હ્રદયમાં છું. છુ ને? તો ચાલો જીવીએ – 🙂



Categories: ઉત્સવ, ઊજવણી, કુટુંબ, ભારતિય સંસ્કૃતિ, ભાવનગર, મધુવન | Tags: , , , , | Leave a comment

દીપાવલીના દિવસોમાં

મીત્રો,

દિપાવલીનો તહેવાર હોય અને મધુવનમાં ઉજવણી ન થાય તેવું બને? મીઠાઈ / ફરસાણ બન્યા છે. રંગોળી પુરાય છે. ફટાકડા ફોડાય છે. નવા નવા કપડાં અને ઘરેણા આ બધું છે. આ બધું હોય તો યે તેમાં જો એક બાબત ઉમેરાઈ જાય ને તો તહેવાર વહેવાર ન રહેતા ખરેખરો તહેવાર બની જાય. અને તે એક બાબતનું નામ છે ઉત્સાહ. જો આપણી અંદર ઉત્સાહ હશે તો પ્રત્યેક ક્ષણે તહેવાર છે અને જો ઉત્સાહ નહીં હોય તો – તહેવાર એક વહેવાર બની જશે.


શ્રી રામકૃષ્ણ મીશન રાજકોટના અધ્યક્ષ શ્રી ધૃવેશાનંદજી મહારાજ કે જેઓ ૯મી નવેમ્બરે બાંગ્લાદેશ જવા રવાના થશે.

ચિંતા ન કરશો મારી પાસે પાસપોર્ટ – વીઝા કશું નથી તેથી હું એકલો ક્યાંય જવાનો નથી. જઈશું ત્યારે તો સહકુટુંબ જઈશું. 🙂


રંગોળી - સૂર્યપ્રકાશમાં

તેની તે રંગોળી - રાત્રે દિપકના ઉજાસમાં


શુભ દીપાવલી

Categories: ઉત્સવ | 8 Comments

આજનું ચિંતન – આગંતુક

દીપાવલીના શુભ દિવસે કોઈ તમારા આંગણે આવીને શુભેછા વ્યક્ત કરે તો બારણું વાસીને બેસી ન રહેશો – બહાર આવીને સ્વાગત કરજો – સાચું કહું છું તમારું હ્રદય લાગણીથી ભાવસભર બનશે 🙂

હસો મિત્રો – ઉદાસી સારી નથી લાગતી – હસશો ને?

Categories: ચિંતન | Tags: , | 8 Comments

Create a free website or blog at WordPress.com.