પુસ્તક: જીવન ઘડતરની કળા
લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)
અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર
અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ
હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા
હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.
પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.
કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન

Advertisements
ચેતનાના ઉચ્ચસ્તરે પહોચવાના પ્રયાસ જ સાચી આધ્યાત્મિક સાધના છે. મંત્રજપ પૂજા, ધ્યાન, નિષ્કામ સેવા વગેરે એના સાધન છે. આ સાધનો આપણને ચેતનાના ઉચ્ચસ્તર તરફ લઇ જાય છે. આત્માનુભુમી જ ધર્મ છે. ઇન્દ્રિયોની સીમાની પાર જવાનો પ્રયાસ જ ધર્મ છે.
— મને અહી સૌથી વધારે ગમેલો વિચાર.
આ પોસ્ટમાં બે પ્રકરણ છે:
૧. અસ્તિત્વનું દર્શન
૨. માનવમાં દિવ્યતત્વ
મને ગમેલો વિચાર:
માનવ=દિવ્યતા
આ સૂત્ર પ્રમાણે મૂળ સ્વરૂપે માનવ અનંત અને સર્વવ્યાપી આત્મા છે. એ જ દેશકાળ, કાર્યકારણના બંધનથી પૂર્ણત: મુક્ત એવો સચ્ચિદાનંદ છે. એ અનંત શક્તિનો ભંડાર છે. આ સત્યની અનુભૂતિ કરવી એ જ આત્મબોધ કે આત્મજ્ઞાન છે.