પુસ્તક: જીવન ઘડતરની કળા
લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)
અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર
અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ
હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા
હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.
પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.
કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન

Advertisements
આ પોસ્ટમાં બે પ્રકરણ છે.
૧. સામાજિક આલોચનાને સૌમ્ય બનાવો
૨. હીનભાવનાનું ઉન્મૂલન
મને ગમેલો વિચાર:
———————-
માનવનું મૂલ્યાંકન એની તાત્કાલિક સીમિતતાઓ અને દુર્બળતાઓના આધારે નહીં પરંતુ એમની ભીતર રહેલી વિકાસ અને સફળતા પ્રાપ્તિની સંભાવનાઓના આધારે થવી જોઈએ. આપણે કોઈપણ વ્યક્તિનું મૂલ્યાંકન એની પોતાની ઉપલબ્ધિની સંભાવનાઓના આધારે જ કરવાની ટેવ પાડવી જોઈએ. આમ નહિ થાય તો આપણો સમાજ પોતે જ પોતાના વિકાસના માર્ગમાં અવરોધક બનીને ઉભો રહેશે. એણે પહેલેથી જ આવા અવરોધો ઊભા કરી દીધાં છે. શું આપણા શિક્ષિત યુવકોમાં આવી ચેતનાના વિકાસનાં લક્ષણ જોવા મળે છે ખરાં?