તમે પુનર્જનમમાં માનો છો કે નહીં તે કાઈ ખાસ મહત્વનું નથી. તમે આ જન્મમાં સમાજને ઉપયોગી કાર્યો કર્યા? તમે આ જન્મમાં સમાજને નડતા બંધ થયા? તમે આ જન્મમાં પ્રમાદ અને આળસ છોડીને તમારા કર્તવ્ય કર્મો કર્યા? પુનર્જન્મ હશે તો તમને આ કાર્યો ઉપયોગી થશે – નહીં હોય તો યે આ જન્મમાં આનંદથી જીવવા માટે ઉપયોગી થશે. તેથી પુનર્જન્મ છે કે નહીં તેની વ્યર્થ ચર્ચાઓ કરવામાં સમય બગાડવા કરતાં આજનો લ્હાવો લેવો શું વધારે બુદ્ધિમાનીનું કામ નથી?
Daily Archives: 13/08/2011
જીવન ઘડતરની કળા – (૨/૨૪-૨૫)
પુસ્તક: જીવન ઘડતરની કળા
લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)
અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર
અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ
હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા
હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.
પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.
કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન