Monthly Archives: June 2011

Jealousy n Gyan

આજે આપણે મતદાન કરીશું. બે મત આવી ગયા છે. અહીં એક ખુલાસો કરવાનો છે – કોઈ પણ બ્લોગર જેણે ઉમેદવારી ન નોંધાવી હોય તો પણ તેને મત આપી શકાશે. તો આપનો મત જરૂર આપશો.

મિત્રો,

Jealousy (ઈર્ષા) તે માનવ સહજ અવગુણ છે. આ અવગુણ જ્યારે વકરે ત્યારે તે ખાનાખરાબી સર્જે છે. કેટલાંક લોકો પોતાને વિશેષ હોંશીયાર માનતાં હોય છે અને જેની અને તેની સામે શિંગડા ભરાવવાનો શોખ લઈને ફરતાં હોય છે. આવા લોકો પાસે જ્ઞાન હોય છે પણ તે જ્ઞાનનો ઉપયોગ તે બીજા લોકોની ઈર્ષા કરવામાં કરતાં હોય છે. કેટલાંક બ્લોગરો પણ એવા હોય છે. મેં આ વખતે એક એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. ’Jealousy n Gyan’. જે બ્લોગર મહત્તમ Jelousy ધરાવતો હશે તેને આ એવોર્ડ આપવામાં આવશે – Gyan, Extra Qualification ગણાશે.

૧. આ એવોર્ડ દર મહિનાની છેલ્લી તારીખે આપવામાં આવશે.

૨. આ એવોર્ડ વાચકોના પ્રતિભાવ દ્વારા આપવામાં આવશે.

૩. દરેક વાચક માત્ર એક બ્લોગને આ એવોર્ડ માટે મત આપી શકશે.

૪. સહુથી વધુ મત પ્રાપ્ત કરનાર વિજેતા જે તે મહિના માટે આ એવોર્ડ ધારક તરીકે એક મહિના સુધી એટલે કે બીજી ચૂંટણી સુધી રહી શકશે.

૫. ડરપોક મતદારોને મતદાનથી દૂર રહેવાનો અધિકાર છે.

આવતી કાલે જૂન-૨૦૧૧ ની છેલ્લી તારીખ છે તો આવતી કાલે આપણે આ એવોર્ડ માટે પ્રથમ ચૂંટણી યોજશું. જો કોઈને એક પણ મત નહિં મળે તો “ભજનામૃત વાણી” ને તે મહિના માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

ઈર્ષાળુઓને આશિર્વાદ.

Categories: વિવાદ/પડકાર | Tags: , | 7 Comments

ચલો આનંદ ધામ

મિત્રો,

આનંદમયી મા ની છબી જોઈએ ત્યારે આપણને તેનામાં સ્ત્રી તરીકેનો નહીં પણ હંમેશા માતા તરીકેનો ભાવ ઉપજે. વળી તેઓ હંમેશા ભાવ સમાધિમાં હોય જે જોતા ખ્યાલ આવે કે તેઓ દુન્યવી વિચારોથી સર્વથા પર છે. સાચા આધ્યાત્મિક લોકોને કદી પોતાનો પ્રચાર પ્રસાર કરવાની જરૂર નથી પડતી. શ્રી રામકૃષ્ણ પરમહંસ: પાસે, શ્રી લાહિરી મહાશય પાસે, શ્રી રમણ મહર્ષી પાસે આપોઆપ ભક્તો આવી જતાં અને આદ્યાત્મિક માર્ગદર્શન લઈને આત્મ-કલ્યાણના માર્ગે વળતાં. હાલમાં જોવા મળતાં પ્રચાર-પ્રસારના ઢોલ-નગારાની તેમને કશી આવશ્યકતાં નહોતી કારણકે તેમનું લક્ષ્ય માત્રને માત્ર આધ્યાત્મિક પૂર્ણતા હતી – જ્યાં લોકો પાસેથી કિર્તી કે વાહ વાહ મેળવવાની કોઈ ઝંખના ન હતી. વળી તેઓ સંપૂર્ણ પણે પોતાનો કર્તૃત્વભાવ ઓગાળી ચૂક્યા હતાં જાણે કે પોતાના અસ્તિત્વને ઓગાળી ચૂક્યા હતા (Melt Down) અને તેથી તેમની આદ્યાત્મિક અસર દીર્ઘ કાળ સુધી માનવ જીવન પર પોતાનો પ્રભાવ પાથરતી રહેશે અને પેઢીઓ સુધી તેમના માર્ગદર્શનની જ્યોત જલતી રહેશે. આજે જોઈએ શ્રી આનંદમયી મા ની ભાવપૂર્ણ છબીઓ અને સાથે સાથે સાંભળીએ ગુરુ-સ્તવાષ્ટક.



ભવસાગર – તારણ – કારણ હે,
રવિ – નંદન બંધન – ખંડન હે,
શરણાગત કિંકર ભીતમને,
ગુરુદેવ દયા કરો દીન જને ||૧||

હ્રદિ – કંદર – તામસ – ભાસ્કર હે,
તુમિ વિષ્ણુ પ્રજાપતિ શંકર હે,
પરબ્રહ્મ પરાત્પર વેદ ભણે,
ગુરુદેવ દયા કરો દીન જને ||૨||

મન- વારણ – શાસન – અંકુશ હે,
નર – ત્રાણ તરે હરિ ચાક્ષુષ હે,
ગુણ – ગાન – પરાયણ દેવગણે,
ગુરુદેવ દયા કરો દીન જને ||૩||

કુલકુંડ્લિની – ઘુમભંજક હે,
હ્રદિ – ગ્રંથિ – વિદારણ – કારક હે,
મમ માનસ ચંચલ રાત્રદિને,
ગુરુદેવ દયા કરો દીન જને ||૪||

રિપુ -સુદન મંગલ – નાય્ક હે,
સુખશાંતિ – વરાભય – દાયક હે,
ત્રય તાપ હરે તવ નામગુણે,
ગુરુદેવ દયા કરો દીન જને ||૫||

અભિમાન પ્રભાવ વિમર્દક હે,
ગતિહીનજને તુમિ રક્ષક હે,
ચિત્ત શંકિત વંચિત ભક્તિધને
ગુરુદેવ દયા કરો દીન જને ||૬||

તવ નામ સદા શુભ – સાધક હે,
પતિતાધમ – માનવ – પાવક હે,
મહિમા તવ ગોચર શુદ્ધ મને,
ગુરુદેવ દયા કરો દીન જને ||૭||

જય સદગુરુ ઈશ્વર – પ્રાપક હે,
ભવ – રોગ – વિકાર – વિનાશક હે,
મન યેન રહે તવ શ્રીચરણે
ગુરુદેવ દયા કરો દીન જને ||૮||

Categories: અધ્યાત્મ / યોગ, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભારતિય સંસ્કૃતિ, મારી વહાલી મા | Tags: , , , | Leave a comment

હેલન કેલરની આત્મકથા (૮)

કુદરતે પોતાના માર્ગમાં મૂકેલી બધી ય આડખીલીને હટાવીને કે બીજી રીતે પાર કરીને વિકાસની શક્ય એવી સીમા આંબવી એ માનવીની સિદ્ધિ છે તો સાથે સાથે એ જ, એના માટેનો પુરુષાર્થ એ જ, માનવીનું પરમ સૌભાગ્ય પણ હોય છે. એ પુરુષાર્થનો ખરો આનંદ એ પરમ લક્ષ્યે પહોંચવા કરતાંય એ પંથે હસતે મોંએ, ઉલ્લાસભર્યા દિલે, આપત્તિઓ સહી લેતાં, વાવંટોળ અને ખાડાટેકરા સહુને ખમી લેતાં આગળ અને આગળ જવામાં છે.

હેલન કેલરની જીવનકથા એ પુરુષાર્થમાં શ્રદ્ધા પ્રેરે એવી કથા છે. સિંહ સાથે બાથ ભીડવાનું જાહેર કર્યા પછી સિંહ હાડમાંસને બદલે ઘાસનો ભરેલો હોવો જોઈએ, સિંહના પંજામાં નહોર ન હોવા જોઈએ, સિંહના મોંમાં દાંત ન હોવા જોઈએ, એવું કહેનાર માગનારની એ પુરુષાર્થકથા નથી. જીવનને જીવનરૂપે જ યથાર્થ જોઈ-જાણીને પણ આત્મવિકાસ માટે સતત યત્નશીલ રહીને મક્સદે પહોંચનારની એ કથા છે.

માત્ર હેલન કેલરને અપંગ કહેવામાં સાથ આપવામાં દિલ ના પાડે છે. વાયુમંડળમાંથી શ્વાસ લઈને, હવાને સૂંઘીને જ, આવતી વસંતના વધામણાં કરવા નીકળી પડનારને અપંગ કેમ કરીને કહેવાય? કુદરતની અર્થહીન ફાંટાબાજી, યથાર્થતાનો અંચળો, ’છે’ના ગુમાનને ઢાંકતો હોય અને ’નથી’ એમ આંગળી ચિંધતો હોય, એવું એમાં લાગે છે. અને એટલું ખટકે છે.


Categories: આત્મકથા | Tags: , , | Leave a comment

આજની કહેવત

એક નનૈયો સો દુ:ખને હણે.

Categories: સાહિત્ય | Tags: , | 2 Comments

હેલન કેલરની આત્મકથા (૭)

કુદરતે પોતાના માર્ગમાં મૂકેલી બધી ય આડખીલીને હટાવીને કે બીજી રીતે પાર કરીને વિકાસની શક્ય એવી સીમા આંબવી એ માનવીની સિદ્ધિ છે તો સાથે સાથે એ જ, એના માટેનો પુરુષાર્થ એ જ, માનવીનું પરમ સૌભાગ્ય પણ હોય છે. એ પુરુષાર્થનો ખરો આનંદ એ પરમ લક્ષ્યે પહોંચવા કરતાંય એ પંથે હસતે મોંએ, ઉલ્લાસભર્યા દિલે, આપત્તિઓ સહી લેતાં, વાવંટોળ અને ખાડાટેકરા સહુને ખમી લેતાં આગળ અને આગળ જવામાં છે.

હેલન કેલરની જીવનકથા એ પુરુષાર્થમાં શ્રદ્ધા પ્રેરે એવી કથા છે. સિંહ સાથે બાથ ભીડવાનું જાહેર કર્યા પછી સિંહ હાડમાંસને બદલે ઘાસનો ભરેલો હોવો જોઈએ, સિંહના પંજામાં નહોર ન હોવા જોઈએ, સિંહના મોંમાં દાંત ન હોવા જોઈએ, એવું કહેનાર માગનારની એ પુરુષાર્થકથા નથી. જીવનને જીવનરૂપે જ યથાર્થ જોઈ-જાણીને પણ આત્મવિકાસ માટે સતત યત્નશીલ રહીને મક્સદે પહોંચનારની એ કથા છે.

માત્ર હેલન કેલરને અપંગ કહેવામાં સાથ આપવામાં દિલ ના પાડે છે. વાયુમંડળમાંથી શ્વાસ લઈને, હવાને સૂંઘીને જ, આવતી વસંતના વધામણાં કરવા નીકળી પડનારને અપંગ કેમ કરીને કહેવાય? કુદરતની અર્થહીન ફાંટાબાજી, યથાર્થતાનો અંચળો, ’છે’ના ગુમાનને ઢાંકતો હોય અને ’નથી’ એમ આંગળી ચિંધતો હોય, એવું એમાં લાગે છે. અને એટલું ખટકે છે.



Categories: આત્મકથા | Tags: , , | Leave a comment

હેલન કેલરની આત્મકથા (૬)

કુદરતે પોતાના માર્ગમાં મૂકેલી બધી ય આડખીલીને હટાવીને કે બીજી રીતે પાર કરીને વિકાસની શક્ય એવી સીમા આંબવી એ માનવીની સિદ્ધિ છે તો સાથે સાથે એ જ, એના માટેનો પુરુષાર્થ એ જ, માનવીનું પરમ સૌભાગ્ય પણ હોય છે. એ પુરુષાર્થનો ખરો આનંદ એ પરમ લક્ષ્યે પહોંચવા કરતાંય એ પંથે હસતે મોંએ, ઉલ્લાસભર્યા દિલે, આપત્તિઓ સહી લેતાં, વાવંટોળ અને ખાડાટેકરા સહુને ખમી લેતાં આગળ અને આગળ જવામાં છે.

હેલન કેલરની જીવનકથા એ પુરુષાર્થમાં શ્રદ્ધા પ્રેરે એવી કથા છે. સિંહ સાથે બાથ ભીડવાનું જાહેર કર્યા પછી સિંહ હાડમાંસને બદલે ઘાસનો ભરેલો હોવો જોઈએ, સિંહના પંજામાં નહોર ન હોવા જોઈએ, સિંહના મોંમાં દાંત ન હોવા જોઈએ, એવું કહેનાર માગનારની એ પુરુષાર્થકથા નથી. જીવનને જીવનરૂપે જ યથાર્થ જોઈ-જાણીને પણ આત્મવિકાસ માટે સતત યત્નશીલ રહીને મક્સદે પહોંચનારની એ કથા છે.

માત્ર હેલન કેલરને અપંગ કહેવામાં સાથ આપવામાં દિલ ના પાડે છે. વાયુમંડળમાંથી શ્વાસ લઈને, હવાને સૂંઘીને જ, આવતી વસંતના વધામણાં કરવા નીકળી પડનારને અપંગ કેમ કરીને કહેવાય? કુદરતની અર્થહીન ફાંટાબાજી, યથાર્થતાનો અંચળો, ’છે’ના ગુમાનને ઢાંકતો હોય અને ’નથી’ એમ આંગળી ચિંધતો હોય, એવું એમાં લાગે છે. અને એટલું ખટકે છે.



Categories: આત્મકથા | Tags: , , | Leave a comment

હેલન કેલરની આત્મકથા (૫)

કુદરતે પોતાના માર્ગમાં મૂકેલી બધી ય આડખીલીને હટાવીને કે બીજી રીતે પાર કરીને વિકાસની શક્ય એવી સીમા આંબવી એ માનવીની સિદ્ધિ છે તો સાથે સાથે એ જ, એના માટેનો પુરુષાર્થ એ જ, માનવીનું પરમ સૌભાગ્ય પણ હોય છે. એ પુરુષાર્થનો ખરો આનંદ એ પરમ લક્ષ્યે પહોંચવા કરતાંય એ પંથે હસતે મોંએ, ઉલ્લાસભર્યા દિલે, આપત્તિઓ સહી લેતાં, વાવંટોળ અને ખાડાટેકરા સહુને ખમી લેતાં આગળ અને આગળ જવામાં છે.

હેલન કેલરની જીવનકથા એ પુરુષાર્થમાં શ્રદ્ધા પ્રેરે એવી કથા છે. સિંહ સાથે બાથ ભીડવાનું જાહેર કર્યા પછી સિંહ હાડમાંસને બદલે ઘાસનો ભરેલો હોવો જોઈએ, સિંહના પંજામાં નહોર ન હોવા જોઈએ, સિંહના મોંમાં દાંત ન હોવા જોઈએ, એવું કહેનાર માગનારની એ પુરુષાર્થકથા નથી. જીવનને જીવનરૂપે જ યથાર્થ જોઈ-જાણીને પણ આત્મવિકાસ માટે સતત યત્નશીલ રહીને મક્સદે પહોંચનારની એ કથા છે.

માત્ર હેલન કેલરને અપંગ કહેવામાં સાથ આપવામાં દિલ ના પાડે છે. વાયુમંડળમાંથી શ્વાસ લઈને, હવાને સૂંઘીને જ, આવતી વસંતના વધામણાં કરવા નીકળી પડનારને અપંગ કેમ કરીને કહેવાય? કુદરતની અર્થહીન ફાંટાબાજી, યથાર્થતાનો અંચળો, ’છે’ના ગુમાનને ઢાંકતો હોય અને ’નથી’ એમ આંગળી ચિંધતો હોય, એવું એમાં લાગે છે. અને એટલું ખટકે છે.



Categories: આત્મકથા | Tags: , , | Leave a comment

આ ક્વોટેશન કોનું છે?

મિત્રો,

આજે મેં એક વાક્ય વાચ્યું, અંગ્રેજીમાં છે પણ મને સ્પર્શી ગયું.

“Unless you’ve LiveD my Life,
Don’t Judge Me because
You Don’t know, never have,
& never wiLL know every
Little thing & Detail about me”
[ આ ક્વોટેશન કોનું છે તે કોઈને ખબર હોય તો જણાવવા વિનંતી ]

આપણે શા માટે બીજા વિશે અભિપ્રાયો બાંધીયે છીએ? દરેક વ્યક્તિને પોતાનું જીવન બીજાને નડતાં ન હોય ત્યાં સુધી પોતાની રીતે જીવવાનો સંપૂર્ણ અધિકાર છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે બીજાએ શું કરવું જોઈએ તે વિશે આપણે ખૂબ સલાહ આપી શકીએ છીએ પણ પોતે શું કરવું તેની ભાગ્યે જ કોઈને ખબર હોય છે. વળી, બીજાના જીવનમાં ચંચૂપાત કરનારા આપણે કોણ?

Categories: પ્રશ્નાર્થ | Tags: | 2 Comments

હેલન કેલરની આત્મકથા (૪)

કુદરતે પોતાના માર્ગમાં મૂકેલી બધી ય આડખીલીને હટાવીને કે બીજી રીતે પાર કરીને વિકાસની શક્ય એવી સીમા આંબવી એ માનવીની સિદ્ધિ છે તો સાથે સાથે એ જ, એના માટેનો પુરુષાર્થ એ જ, માનવીનું પરમ સૌભાગ્ય પણ હોય છે. એ પુરુષાર્થનો ખરો આનંદ એ પરમ લક્ષ્યે પહોંચવા કરતાંય એ પંથે હસતે મોંએ, ઉલ્લાસભર્યા દિલે, આપત્તિઓ સહી લેતાં, વાવંટોળ અને ખાડાટેકરા સહુને ખમી લેતાં આગળ અને આગળ જવામાં છે.

હેલન કેલરની જીવનકથા એ પુરુષાર્થમાં શ્રદ્ધા પ્રેરે એવી કથા છે. સિંહ સાથે બાથ ભીડવાનું જાહેર કર્યા પછી સિંહ હાડમાંસને બદલે ઘાસનો ભરેલો હોવો જોઈએ, સિંહના પંજામાં નહોર ન હોવા જોઈએ, સિંહના મોંમાં દાંત ન હોવા જોઈએ, એવું કહેનાર માગનારની એ પુરુષાર્થકથા નથી. જીવનને જીવનરૂપે જ યથાર્થ જોઈ-જાણીને પણ આત્મવિકાસ માટે સતત યત્નશીલ રહીને મક્સદે પહોંચનારની એ કથા છે.

માત્ર હેલન કેલરને અપંગ કહેવામાં સાથ આપવામાં દિલ ના પાડે છે. વાયુમંડળમાંથી શ્વાસ લઈને, હવાને સૂંઘીને જ, આવતી વસંતના વધામણાં કરવા નીકળી પડનારને અપંગ કેમ કરીને કહેવાય? કુદરતની અર્થહીન ફાંટાબાજી, યથાર્થતાનો અંચળો, ’છે’ના ગુમાનને ઢાંકતો હોય અને ’નથી’ એમ આંગળી ચિંધતો હોય, એવું એમાં લાગે છે. અને એટલું ખટકે છે.



Categories: આત્મકથા | Tags: , , | Leave a comment

બારી બંધ નહિં થાય

મિત્રો,

હમણાં હમણાં હું મજાકના મુડમાં હોઉ છું. આમ તો આ હાસ્ય-રચના ઘણી જુની છે પણ પ્રસંગોપાત વાગોળવી ગમે તેવી છે.

બે કુટુંબ ટ્રેનમાં જઈ રહ્યાં હતાં, બંનેને એક એક ૧૨-૧૩ વર્ષનો છોકરો હતો. શીયાળાની શરુઆત હતી તેથી થોડી ઠંડી લાગતી હતી અને એક છોકરાને છીંક આવી એટલે તેના પપ્પા ઉભા થઈને બારી બંધ કરવા માટે ગયાં.

ત્યાં તો બીજો છોકરો રડવા લાગ્યો એ એ એ!! મારે બારીની બહાર જોવું છે.

તેના પપ્પાએ બીજા ભાઈને કહ્યું બારી બંધ નહિં થાય.

પેલા ભાઈ કહે ન કેમ થાય – જોતાં નથી મારો છોકરો માંદો જ પડી જાય ને?

બીજા ભાઈ કહે – તમારાથી થાય તેમ કરી લ્યો બારી બંધ નહિં થાય એટલે નહિં થાય.

પેલા ભાઈને બહુ ગુસ્સો આવ્યો નહિં કેમ થાય – તેમ કહીને ધડ દઈને એક તમાચો ઝીંકી દીધો.

બીજા ભાઈ પણ કાઈ ઉણાં ઉતરે તેમ ન હતાં તેણે પેલાનો કાંઠલો પકડીને એવો તો ખેંચ્યો કે પેલા ભાઈ ભોં ભેગા થઈ ગયા. શર્ટના બે બટન તુટી ગયા અને શર્ટ બાંયમાંથી ફાટી ગયો.

ધમાલ આગળ વધે તે પહેલા એક કાકા ઘાંટા પાડીને કહેવા લાગ્યાં – મુર્ખાઓ બંધ કરો આ તમાશો – “બારીને કાચ જ નથી!”

સુજ્ઞેષુ કિં બહુના !!

Categories: હળવી પળો, હાસ્ય | Tags: , , , | 4 Comments

Create a free website or blog at WordPress.com.