મુખ્ય પોસ્ટ: ભારતના ભાવી મજૂરના વંદેમાતરમ્
મારો પ્રતિભાવ:
આ મેઈલ ઘણી બધી વખત ઘણાં મિત્રો દ્વારા વાંચવા મળ્યો છે આજે ફરી એક વખત વાંચ્યો.
જે પ્રશ્નો ભગવાનને પુછ્યાં છે તે પ્રશ્નો જો વિદ્યાર્થી પોતાના મા-બાપને પુછે કે અમને જણતાં પહેલા અમારા ભરણ પોષણ ની વ્યવસ્થા કરવાની ત્રેવડ નહોતી તો શા માટે આ દુનિયામાં અમને રખડતા મુકવા માટે જન્મ આપ્યો?
આમેય આપણે માતા-પિતાને દેવ કહીએ છીએ તો આ જીવતા દેવોને કેટલાં બાળકોએ પ્રશ્નો પુછ્યાં છે? અને એમાંથી કેટલાં મા-બાપ તમાચો મારીને બાળકને ચૂપ કરી દેવાની બદલે શાંત ચિત્તે બાળકની સમસ્યાનું સમાધાન કરે છે?
બાળકનીદૂર્દશા માટે સહુથી વધુ જવાબદાર જો કોઈ હોય તો તે મા-બાપ છે.
નોંધ: આ લેખ પરની ચર્ચા મુખ્ય પોસ્ટ પર જ કરવા વિનંતી.