મીત્રો,
પોરબંદરથી ૧૫ કીલોમીટરના અંતરે આવેલા રાણાવાવના નિર્વાણધામ આશ્રમના સંત કે જેમનો જન્મ બખરલા ગામે થયો હતો તેવા સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદજી મહારાજની આજે દ્વિતિય પુણ્યતિથી છે. તેઓ સતત સાધન,ભજન અને ઈશ્વરપ્રેમમાં મસ્ત રહેનાર એક આનંદના ઓઘ સમાન સંત હતાં. માત્ર સાત ચોપડી સુધી ભણ્યાં હોવા છતાં શાસ્ત્રોના અર્થો તે જે રીતે સમજાવી શકતા તે મોટા મોટા વિદ્વાનો કે કથાકારો પણ સમજાવી શકતાં નથી. જામનગરના વિદ્વાન સંસ્કૃતના પ્રોફેસર ભરતભાઈ પણ જ્યારે કોઈ અઘરાં શ્લોક ન સમજાય તો તેનો અર્થ તેમને પુછવાં સવારે ૪ વાગ્યે ફોન કરતાં અને બાપુજી – અરે ભરતીયા તેનો અર્થ તો આમ થાય તેમ હસીને સહજતાથી સમજાવી દેતાં.
તેમની સાથે મને ઘણું રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોવાથી સ્વાભાવિક રીતે તેમની યાદ મને આવે વળી આજે જ્યારે તેમની પુણ્યતિથિ નીમીત્તે ભક્તો રાણાવાવમાં એકત્ર થઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પશે ત્યારે મારે ભાવનગરમાં રહેવું પડે છે તે વાત પણ મારા અંતરમનમાં ખૂંચે છે – પણ તેમણે શિખવ્યા પ્રમાણે “રામ રાખે તેમ રહીએ – ઓધવજી રામ રાખે તેમ રહીએ” કડીને સંભારીને જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં મનને મનાવતા શીખ્યો છું.
તેમણે ખાસ તો ગામડાના ભોળા જીજ્ઞાસુઓ માટે ઘણું બધું સાહિત્ય રચ્યું છે. ભજન તેમને અતિશય પ્રિય હતા તેથી તેમના ગુરુજી સ્વામી શ્રી સત્યમિત્રાનંદજી મહારાજે તેમનું નામ ભજનપ્રકાશાનંદગિરિ રાખેલું.
અહિં “ભજનામૃત વાણી” દ્વારા તેમનું ઘણું સાહિત્ય પ્રગટ કરવામાં આવ્યું છે – રસ ધરાવતાં વાચકોને તેનો આસ્વાદ કરવા હાર્દિક આમંત્રણ છે.
૨. મૃત્યુની મોજ
૪. ભજનામૃત વાણી
૮. પવનનો પ્રકાશ
૯. મૌન શું છે?