મીત્રો,
આજે શ્રી ભુપેન્દ્રસિંહજીનો તાજેતરનો લેખ વાંચ્યો. તારણો અને દિપકભાઈની ટીપ્પણી રસપ્રદ છે. થોડું થોડું વીઝન જમણી આંખમાં વધી રહ્યું હોવાથી પહેલાં કરતાં થોડું વધારે કોમ્પ્ય઼ુટર સામે બેસવાની છૂટ મળી છે.
હું છું દ્રવિડિયન,હરપ્પન અને આર્યન કે માનવ?
મારો પ્રતિભાવ
એકં સત વિપ્રા બહુધા વદન્તિ
વિજ્ઞાનની રીતે કહો કે અધ્યાત્મની રીતે કહો – ૧૦૦ વાતની એક વાત કે બધાનો બાપ એક જ છે.
અને હા, બધાની મા પણ એક છે. અધ્યાત્મની રીતે કહું તો તેનું નામ પ્રકૃતિ છે – વિજ્ઞાનની રીતે મને ખબર નથી.