કદમ અસ્થિર હો તેને કદિ રસ્તો નથી મળતો
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો
આ મુક્તકો શું ખાલી વાંચવા અને લખવા માટે છે? ના – હરગીઝ નહિં. અરે, જો એકાદા યે સક્ષમ મુક્તકનું જો જીવનમાં આચરણ કરતાં આવડી જાય તો જીવનને નવી ઉંચાઈ પ્રાપ્ત થાય. મોટા ભાગની વ્યક્તિઓ જીવનમાં શા માટે નિષ્ફળ જાય છે? તેનો જવાબ સાદો છે – તેનામાં નીર્ણય શક્તિ નથી હોતી. જીવન એટલે અનેક સંભાવનાઓ અને શકયતાનો શંભુમેળો – પણ તેમાંથી પોતાને માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે તો સહુએ પોતાની મેળે જ નક્કી કરવું પડે. તેમાં બીજા કોઈનો મત ન ચાલે. સહુએ પોતાની જંદગીનો નિર્ણય મેળે જ લેવો પડે. અને એક વાર એક યોગ્ય નિર્ણય કરી લીધાં પછી જે પોતાના નિશ્ચયમાં દૃઢ રહે છે – કદીયે પાછી પાની કરતો નથી ક્યારેય ક્યારેય પોતાના ધ્યેયમાંથી ચલિત થતો નથી તે અને માત્ર તે જ સફળ થાય છે.