મિત્રો,
શ્રી રામકૃષ્ણ મીશન દ્વારા ઉત્તરાખંડ, માયાવતીમાં અદ્વૈત આશ્રમ ચલાવવામાં આવે છે. આ આશ્રમની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરેલી તથા તેમના પાંચ ગુરુબંધુઓએ અહીં સાધના તથા નીવાસ કરેલો. અહીં આસપાસના પર્વતીય વિસ્તારોમાં રહેતાં ગરીબ દર્દીઓ માટે ની:શુલ્ક હોસ્પીટલ ચલાવવામાં આવે છે. બંગાળ, મહારાષ્ટ્ર, આન્ધ્રપ્રદેશ અને ગુજરાતમાંથી ડોક્ટરો અહીં ની:શુલ્ક સેવા આપવા માટે જાય છે. આ ડોક્ટરો અને મહેમાનોને સારી રહેણાંકની સુવિધા પુરી પાડી શકાય તે માટે ૩ માળનું એક ગેસ્ટ-હાઉસ બનાવવાનું આયોજન કરેલ છે. આ માટે દાનની આવશ્યકતા છે. તો ઉદાર દીલના અને સહ્રદયી ભક્તો અને સદગૃહસ્થો આ અપીલને પ્રતીસાદ આપીને અવશ્ય યથાશક્તિ દાન કરશે તેવી આશા રાખવામાં આવે છે. આ યોજનાની વધારે વિગત નીચે પ્રમાણે છે.