કેટલાંક લોકો બીજાના જીવનચરિત્રનો અભ્યાસ કરે છે અને પછી નક્કી કરે છે કે તેઓ આમ નહીં પણ તેમ જીવ્યા હોત તો વધારે સારું હતુ. ભાગ્યેજ કોઈક વિચાર કરે છે કે અત્યાર સુધી હું જે રીતે જીવ્યો છું તેમ નહીં પણ હવે વધારે સારી રીતે જીવું તેમ મારા જીવનને દિશા આપવી જોઈએ અને તે પ્રમાણે પુરુષાર્થ કરવો જોઈએ.