મિત્રો,
આજે આનંદની વાત છે કે મારા મિત્ર શ્રી ભુપેન્દ્રસિંહજીએ બ્લોગ-જગતમાં એક વર્ષ પૂર્ણ કર્યું છે. મારે તેમની સાથે ઘણો મતભેદ અને મનભેદ હતો અને હજુ યે ક્યારેક ઉંબાડીયા કરી લઉ છું. હવે મનભેદ રહ્યો નથી મતભેદ તો હજુયે છે. તેમની બ્લોગ-જગતની યાત્રા અવિરત ચાલુ રહે તેવી હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ…..
Daily Archives: 04/12/2010
‘કુરુક્ષેત્ર’ ને એક વર્ષ પૂર્ણ કરવા બદલ અભીનંદન – આગંતુક
હેરેસમેન્ટ – ગુજબ્લોગ પર ચર્ચા
Bhupendrasinh Raol
Subject: Re: બે બે અલ્પ-વિરામ,, ચાર ચાર ચાર ચાર પ્રશ્નાર્થ ચિહ્ન???? અને
મારી કૉમેન્ટ!!!!!!
To: Vinay Khatri
વિનય ભાઈ ,
હું તો કાયમ ટાયટલમાં આવું કરતો હોઉં છું.બીજા મિત્રો પણ આવું કરતા હોય છે.ચાર
ઉદગાર ચિહ્નો પણ વપરાતા હોય છે.હા!મારા લખેલા લેખોમાં ક્યાય ચાર અલ્પવિરામ
વપરાતો નથી.ભૂલમાં થયું હોય તો ઠીક.હવે અતુલભાઈ મારી પાછળ પડ્યા છે.એમની અસંગત કોમેન્ટ્સ પાસ કરી નહિ હોય.પહેલા યશવંત ભાઈ જે કાયમ વિવાદો થી દુર રહે છે તેમની પાછળ પડ્યા હતા.એક જોડણી ની સામાન્ય ભૂલ બાબતે નરમ અને સૌમ્ય સ્વભાવના શ્રી અશોકભાઈનું અપમાન કરી ચુક્યા છે.એમની કોમેન્ટ પાસ ના થાય તો નિત નવા મેલ આઈડી બનાવી કોમેન્ટ્સ મોકલી હેરેસમેન્ટ કરવાનું સારું કામ કરતા હોય જ છે.ભલે અસહમતી હોય વિવાદોથી ભરપુર હોય પણ તાત્વિક ચર્ચા વાળી કોમેન્ટ્સ તો પાસ કરતાજ હોઈએ છીએ. કોઈની અસહમતી પર્શનલ લેવાનું હું તો માનતો નથી.તમે ધાર્મિક હોવ તો ગો એહેડ અને તમે નાસ્તિક હોવ તો ગો એહેડ ,તમારી પોતાની ચોઈસ છે.અતુલભાઈ પર્શનલ લઈને બેઠા છે.એમનું માનવું છે કે હું ધર્મના નામે ચાલતી બદીઓ વિરુદ્ધ ના લખું.એક
સમયે એમને મારો બ્લોગ ગમતો હતો હવે નથી ગમતો.યેનકેન પ્રકારે હેરાન કરવાની
મનોવૃત્તિ ધરાવે છે.જ્યાં ને ત્યાં વિવાદ ઉભા કરવાની એમને ટેવ છે.મારા સિવાય
બીજા ઘણાને હેરાન કરવાનું ચાલુ જ છે,પણ ખોટા વિવાદ કરીને શું કરવાનું એવું માની
ચુપ રહે છે.મને કોઈ ફરક પડવાનો નથી.સન્માનીય એવા જુગલકાકા,ધોળકિયાસાહેબ અને
બીજા જેને જણાવવું હોય તેમને જણાવી શકે છે.આ બંને મારા મિત્રો ને સન્માનીય છે
એમને મારા લેખો વિવાદી હોવા છતાં ગમે છે.અસહમતી હોવા છતાં ગમે છે.
આપ મારી આ મેઈલ ગુજબ્લોગ દ્વારા બધાને મોકલી શકો છો.એક બાજુ આખું ગુજરાતી
બ્લોગ જગત હશે અને એક બાજુ હું એકલો હોઈશ તો પણ શું ફરક પડવાનો?પણ મારા ચાહક
મિત્રો,મારા પ્યારા વાચક મિત્રો આવું નહિ કરે તેની મને ખાતરી છે.સિંહો ના ટોળાં
થોડા હોય????વળી પાછા ચાર પ્રશ્નાર્થ?ચાર વાર પુચ્છ્યું છે તેમ સમજી લેશો.હું
ભલે અમેરિકામાં વસતો હોઉં,ભારત મારો આત્મા છે,દેશ મારો ગુજરાત છે અને હું છું
એક ગર્વિષ્ઠ ગુજરાતી.જય જય ગરવી ગુંજરાત!
j_jugalkishor Vyas
રાઓલજી,
તમારા વ્યથા ભર્યો સંદેશ વાંચ્યો. આ જ વાતને મેં આજે મારી રીતે કોમેન્ટ પર મૂકી છે. એ જરા જોઈ જવા જેવી છે. એમાં ખુલાસાઓ છે. હું હમણાંથી સમયના અભાવે તમારા કે યશભાઈ વ.ના બ્લોગ વાંચી શકતો નથી.
કુશળ હશો.
– જુ.
આગંતુક અતુલ જાની
સિંહોના ટોળા પણ હોય તેના ફોટો મળશે ત્યારે જરૂર મુકશુ. માણસ સામાજિક
પ્રાણી છે. નામની પાછળ સિંહ લગાડવાથી કોઈ માણસ મટીને સિંહ ન બની જાય.
Hemant Punekar
અતુલભાઈ,
“સિંહોના ટોળાં થોડાં હોય?” એક રૂઢિપ્રયોગ છે, એને શબ્દશઃ ના લેશો. ભૂપેન્દ્રસિંહજીને એવું લાગે કે એ પોતે સિંહ છે તો લાગે, એમાં તમને વાંધો હોવો ના જોઈએ. અને તમને એવું ના લાગતું હોય તો એમાં ભૂપેન્દ્રસિંહજીને વાંધો હોવો ના ઘટે.
બાકી બાપુ, તમ તમારે જેટલા પ્રશ્નાર્થ, ઉદ્ગારચિહ્નો અને અલ્પવિરામ, અર્ધવિરામ,
પુર્ણવિરામ વાપરવા હોય એટલા વાપરોને યાર!!!! હાથી ચલા બજાર તો ……
હવે આ કહેવત વાપરું એમાં કોઈને હાથી કે બીજા કોઈને બીજુ કંઈ કહેવાનો જરાય આશય નથી. ભાવનાઓ કો સમજો!
અમેય માણસ છીએ. અમનેય હાસ્યપ્રદ (હાસ્યાસ્પદ નહીં હોં કે) લખવાનું મન થાય ને.
વાતાવરણ હળવું કરવા આટલું લખ્યું. મન પર ના લેશો.
બાકી સિંહોનું ટોળુય હોય છે ખરું. આ રહ્યું:
http://www.dailymail.co.uk/news/article-1090790/Pictured-Lion-pride-g…
Hemant Punekar
My Blog: HEM-KAVYO
Chirag Patel
અતુલભાઈ, જો તમે નામ બદલીને કે પ્રોક્સી પછવાડે જઈને અંગત કે અરુચિકર ટીપ્પણી
લખી હોય તો એ તદ્દન ખોટી બાબત છે. દરેકને પોતાનો મત પ્રદર્શિત કરવાની સ્વતંત્રતા પર આમ તરાપ મારવી શિયાળ કામ જ છે, જે ભૂતકાળમાં ઘણા અનામી લોકો દ્વારા બહુ થઇ ચૂક્યું છે. છાતી છપ્પનની હોય અને હૈયે હામ હોય તો જાહેરમાં જ જાહેર થઈને પ્રતિ-ટીપ્પણી કરવી જોઈએ.
શું વિરામ ચિહ્નો કે શું જોડણી? એમાં આટલા ઘાંઘા થવાની જરૂર નથી. ૧૦૦%નું તો મન
પણ નથી રહેતું તો આ તો વળી કઈ એવી મોટી વાત છે?
– ચિરાગ
Atul Jani to Chirag
શ્રી ચિરાગભાઈ,
મેં ક્યારેય પ્રોક્સી બદલીને ટીપ્પણી નથી લખી. મારો પ્રત્યેક ટીપ્પણી જાહેર જ હોય છે. છપ્પનની છાતી તો ટીપ્પણી પ્રાપ્ત કરનારની નથી હોતી કે મારી ખુલ્લેઆમ ટીપ્પણી પ્રગટ કરે. ઘાંઘો હું નથી થયો – ઘાંઘા આખો વખત બધાને ઉતારી પાડનારાઓ થયાં છે. એક પોસ્ટ લખો અને તેના વિરોધમાં બીજી પોસ્ટ હાજર જ હોય. અહીં યા કોઈ લડવા થોડું આવ્યું છે? પણ લડનારાઓને જવાબ તો દઈશ દઈશ અને દઈશ જ
અને ફરી વખત દોહરાવુ છું કે મારી કોઈ પણ ટીપ્પણી પ્રોક્સી બદલાવીને કરવામાં આવી નથી. ઈ-મેઈલ એડ્રેસ બદલવું એટલે પડ છે કે બ્લોગરો છપ્પનની છાતી વાળા નથી હોતા કે મારી ટીપ્પણી પ્રકાશીત કરી શકે.
Chirag Patel to me
અતુલભાઈ,
જેમ મને ગૂંચ પડી એમ બીજાને પણ પડી હોઈ શકે. તમે આ ખુલાસો જાહેરમાં કરો તો તમારો મત પણ બધા સમજે. મેં જો કે જે વાત લખી એ બદલ તમને દુખ થયું એ માટે માફી માંગુ છું. ભૂતકાળમાં મને પ્રોક્સી ટીપ્પણીઓનો એટલો બધો કડવો અનુભવ થઇ ગયો છે કે એ બાબતે ગુસ્સો ઉતારી લીધો એમાં તમે પણ આવી ગયા. ફરી, માફી.
હા, એ વાતે પુરો સંમત છું કે વિરોધી સુરની ટીપ્પણી અપ્રૂવ ના કરનાર બ્લોગર ગુનાને પાત્ર છે. એમાં સૌરભ શાહ જેવા કહેવાતા કુખ્યાત પત્રકાર પણ આવી ગયા. પોતાના લેખને અનુકુળ ટીપ્પણી છપાવી અને બીજી દુર કરવી…
ફરી વાર કહું છું કે, તમે આ બાબતે જાહેર ખુલાસો કરી તમારો મત બધા સમક્ષ મુકો.
કાર્તિક મિસ્ત્રી
પરફેક્ટ જવાબ, ચિરાગભાઈ અને હેમંતભાઈ.
પૂર્ણવિરામ, અલ્પવિરામનો વાંધો કાઢતા (અને પોતે જ ઢગલાબંધ,, જોડણીઓ ખોટી
લખતાં) અતુલભાઈ અંગત રીતે આવા સવાલો બ્લોગ પર ઉઠાવે તે ઠીક નથી. વધુમાં,
ગુજબ્લોગ પર તેમનાં ઈમેલનો મારો સ્પામથીય ઓછો નથી.
વિનયભાઈ, વિષય બદલ્યા વગર દરરોજ પોસ્ટ કરતાં એમનાં ઈમેલ્સને મોડરેટ ન કરી
શકાય?
~ Kartik
j_jugalkishor Vyas
પ્રિય બાપુ, હેમંતભાઈ, ચીરાગ, વિનયભાઈ તથા સૌ,
મને પણ બહુ પસ્તાવો થાય છે કે, ક્યાં આમાં પડ્યા !! અલ્પવિરામની વાતે
પૂર્ણવિરામ શરૂઆતમાં જ મૂકવાની જરૂર હતી ! પણ ભાષાની વાત આવે એટલે લખવાનું મન
થઈ જાય – આને કુટેવ પણ કહી શકાય – તેથી ક્યારેક અંગત બાબતોનો અણસાર આવતો નથી ને શામેલ થઈ જવાય છે….
આ આખો પત્રવ્યવહાર ભાષા કરતાં વ્યક્તિગત બની ગયો એમાં મારો પણ ફાળો ગણીને
દીલગીરી વ્યક્ત કરું છું.
– જુ.