Daily Archives: 16/11/2010

’ણ’ કોઈનો નહીં

મિત્રો,
સાચ્ચુ કહું આજની તારીખે પણ મને જો કોઈ કહે કે કક્કો સળંગ બોલી જા તો મારે માથું ખંજવાળવું પડે. વિચારમાં પડી જાઉ.

ક કમળનો ક
ખ ખટારાનો ખ
ગ ગધેડાનો ગ
ઘ ઘડીયાળ નો ઘ

પછી મારે બધા ક્રમ માટે પાછો વિચાર કરવો પડે. જેમ જે અક્ષરો બોલતાં બંને હોઠો ભેગા થાય તે અક્ષરો ઓષ્ઠય કહેવાય

’પ’ ’ફ’ ’બ’ ’ભ’ ’મ’

જે અક્ષરો બોલતાં જીભ દાંતને અડે તેને દંત્ય કહેવાય

’ત’ ’થ’ ’દ’ ’ધ’ ’ન’

જેમનાં દાંત પડી ગયા હોય (મોટી ઉંમરે સ્વાભાવિક છે કે પડી જાય – બહુ મજાકીયા હોય અને સામે કોઈ ઉગ્ર સ્વભાવ વાળાની મજાક કરી હોય તો ય પડી જાય) તેઓ આ અક્ષરો બોલી ન શકે.

તેવી રીતે સ ત્રણ જુદા જુદા અને ત્રણેનો અર્થ પણ જુદો.

સ – સસલાં નો સ
શ – શકોરાં નો શ
ષ – ષટકોણ નો ષ

ઘણાં લોકો ઈરાદાપૂર્વક આવા અક્ષરો ખોટી રીતે લખે. જેમકે સાથી ના બદલે શાથી. સગડી ને બદલે શગડી વગેરે વગેરે.

ઘણાં લોકો ડ ને બદલે ળ લખે જેમ કે કડી ને બદલે કળી.

આ બધાં અક્ષરો વિશે વિચાર કરતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ણ થી શરુ થતો અક્ષર એકે નથી હોતો એટલે એટલે ’ણ’ કોઈનો નહીં.

Categories: હળવી પળો, હાસ્ય | Tags: , | 15 Comments

ઉદ્યમેન હિ સિધ્યન્તિ

મિત્રો,
આજે બ્લોગ-જગતમાં સર્ફીગ કરતાં કરતાં અચાનક મારી નજર શ્રી મીતાબહેનની એક પોસ્ટ પર પડી.

બેસનારનું નસીબ બેસી રહે


હલંઘલં જો નસીબ હલે
વૈઘલં જો નસીબ વે
સુમંઘલ જો નસીબ સુમે

એનો અર્થ એ કે હાલનારનું નસીબ હાલે, બેસનારનું નસીબ બેસી રહે. અને ઉંઘનારનું નસીબ ઉંઘે છે. એટલે જો નસીબ જાગે તેની રાહ જોઇએ અને કોઇ પુરુષાર્થ જ ના કરીએ તો નસીબ પણ ઉંઘી જાય એવું બને.


આ પોસ્ટે મને વિચારતો કરી મુક્યો (હું વિચારું છું એ વાત હવે મોટા ભાગના લોકો જાણે છે) . મને થયું કે આપણે બધાં જે પોસ્ટ મુકીએ છીએ તે આપણે માટે મુકીએ છીએ કે અન્યને માટે? આપણામાં જે ખૂટતું હોય તે પૂર્તિ કરવાની ભાવનાથી પોસ્ટ મુકાતી હશે કે અન્યને સુધારવા માટે કે માર્ગદર્શન આપવા માટે? ઘણીએ વાર મને ઘણીએ પોસ્ટ બ્લોગ ઉપર શા માટે મુકવામાં આવી છે તે સમજાયું નથી. આ પોસ્ટ માં પણ એવું થયું. હવે મીતાબહેન જેવા પ્રવાસી બ્લોગરોને કાઈ આપણે પુછાય તો નહીં કે આ પોસ્ટનો હેતું શું હશે? અને જો પ્રશ્ન પુછો તો તમારી કોમેન્ટ જ ગાયબ. મહાન માણસો કોઈને જવાબ દેવા માટે બંધાયેલા નથી હોતા. અને હા એ તો એમ જ હોયને જો અમે અમારા બ્લોગના રાજા હોઈએ તો સહુ કોઈ પોતાના મનના માલિક જ હોય ને?

આ સીવાય આ પ્રકારના વિચારનું એક સુભાષિત યાદ આવ્યું:
ઉદ્યમેન હિ સિધ્યન્તિ, કાર્યાણિ ન મનોરથૈ:
ન હિ સૂપ્તસ્ય સિંહસ્ય, પ્રવિશન્તિ મુખે મૃગા:

નાનપણમાં આ સુભાષિત હું વાંચતો પછી મારા પિતાજી મને પુછતાં કહે: આનો અર્થ શું થાય?

હું કહેતો: ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે માત્ર મનોરથ કરવાથી નહી. સુતેલા સિંહના મુખમાં હરણ તેની મેળે આવીને પ્રવેશ કરતું નથી.

ત્યારે મને કહેતા કે મોટા ભાગનું તું બરાબર સમજ્યો છો પણ અહીં મૃગા: નો અર્થ માત્ર હરણ નથી થતો પણ કોઈ પણ પ્રાણી તેવો થાય છે. સિંહ માત્ર હરણ જ નથી ખાતું તે તો તેની ઝપટે જે શિકાર ચડે તે ઝાપટી જાય છે.

Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, હળવી પળો | Tags: , , | 6 Comments

અરુણાચલ સ્તુતિ (૬૧) – શ્રી રમણ મહર્ષિ


Categories: ચિંતન | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.