[Youtube=http://www.youtube.com/watch?v=4AF6hU6MWb0]
બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે…
-ટીપુ સુલતાન
[Youtube=http://www.youtube.com/watch?v=4AF6hU6MWb0]
બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે…
-ટીપુ સુલતાન
ૐ
અસતો મા સદગમય:
તમસો મા જ્યોતિર્ગમય:
મૃત્યોર્માં અમૃતં ગમય:
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
વિક્રમ સવંત ૨૦૬૬નો આજે છેલ્લો દિવસ. અમાસ હોવા છતાં તેને ઉજાસનો દિવસ – પ્રકાશનું પર્વ શા માટે કહે છે? અંધારીયું કે અજવાળીયું તે ચંદ્રની કલા ઉપર આધાર રાખે છે. અને તેથી ઉજાસમાં વધ-ઘટ રાત્રે હોય છે. પણ સૂર્યના પ્રકાશમાં દિવસે તેવા કશાં ભેદ નથી. તો દર વર્ષનો છેલ્લો દિવસ સંક્લ્પ કરવાનો દિવસ છે કે આવનારું વર્ષ અમે અમારા દિલમાં ઉજાસ કરશું. રાગ-દ્વેષને ભુલીને માનવતા ખીલવશું. બીજાના સદગુણો અને પોતાના દુર્ગુણો જોતા શીખશું. ક્ષમા, સંતોષ અને પુરુષાર્થને જીવનમંત્ર બનાવીશું. કોઈ પણ માનવીનો તેના દુષ્કૃત્યોને લીધે તીરસ્કાર નહીં કરીએ તેમ જ કોઈ પણ માનવીને તેના સત્કાર્યોને લીધે મોટા ભા નહીં બનાવીએ પણ દરેક માનવીની અંદર રહેલી દિવ્યતાને ઓળખીને સહુની સાથે પ્રેમ-પૂર્ણ વ્યવહાર કરશું. નાના-મોટાના ભેદ-ભાવ ત્યજશું. નાત-જાત અને ધર્મના વાડાને તીલાંજલી આપશું. ફાટ-ફૂટ પડાવનારાઓને ખુલ્લા પાડશુ. અને આવા આવા તો અનેક સંકલ્પોમાંથી એકાદ સંકલ્પ તો જરૂર કરશું.
આવનારુ વિક્રમ સંવત ૨૦૬૭ આપ સહુને માટે મંગલમય, આનંદમય અને ઉત્સાહ-આનંદથી ભરપુર રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..
“મધુવન” પરિવારના જયશ્રીકૃષ્ણ