Monthly Archives: November 2010
વિવેકવાણી
Categories: ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda
Tags: વિવેકવાણી
Leave a comment
જાવ ! કહેશો તો અમે ચાલ્યાં જશું – આગંતુક
જાવ ! કહેશો તો અમે ચાલ્યાં જશું,
પણ પછી તમારું શું થાશે?
અમે તો ધ્યાન કરશું – યોગ કરશું,
પણ પછી તમારું શું થાશે?
જાકારો ન આપશો અમે રીસાઈ જશું.
પણ પછી તમારું શું થાશે?
ગામ આખા હારે ગામ-ગપાટા હાંકશું,
પણ પછી તમારું શું થાશે?
ખભે થેલો નાખીને ધુળીયે મારગ હાલીશું,
પણ પછી તમારું શું થાશે?
દૂર રહી-રહીને પણ તમારી ફીકર કરશું,
પણ પછી તમારું શું થાશે?
બોલાવી લ્યો પાછો, સંગે આનંદ કરશું,
આખું જગ આપણું ગાણું ગાશે…..
આજનું ચિંતન – આગંતુક
કેટલાંક લોકો એવા હોય છે કે જે હંમેશા કકળાટ જ કર્યા કરે છે.
(એમના કુટુંબીજનો માટે પ્રાર્થના સીવાય બીજું શું થઈ શકે????)
કેટલાંક લોકો એવા હોય છે જે હંમેશા બીજાએ શું ભુલો કરી તે જ જોયા કરે છે.
(પોતાની ભુલો જોવા માટે તેઓ સમય ક્યારે મેળવશે????)