મુળ લેખ: પરમેશ્વરી,,ભુવનેશ્વરી,,કાલી!!કાલી!!મહાકાલી!!
મારો પ્રતિભાવ: એટલા માટે તો વારંવાર કહીએ છીએ કે “એકં સત વિપ્રા બહુધા વદન્તિ – સત્ય એક જ છે અને વિદ્વાનો તેને જુદી જુદી રીતે કહે છે” .
પણ વેદાંત અઘરું પડે છે – એટલે આ દેવ-દેવિઓ નાશ પામવાની બદલે વધતા જ જાય છે. જો અમે કહેશું કે “બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા” તો લોકોને વાંધો પડશે કે અરે આ બધું માણવા માટે તો બનાવ્યું છે – મિથ્યા હોય તો બનાવે જ શું કામ? હા તો માણ્યા કરો અને અનંત કાળ સુધી લેખ લખ્યા કરો. મગજમાં રહેલા આ નાનકડા કેમીકલને કાબુમાં કરતાં શીખી જાવ ને તો ઘડીકમાં આ બધો ઉત્પાત મટી જાય. પણ પણ પણ રાજ-હઠ, બાળ-હઠ અને સ્ત્રી-હઠ લીધી વાત મુકે નહીં. દોરડી બળે પણ વળ ન છૂટે.
અરે ભાઈ ફરી ફરીને કહીએ છીએ કે વેદાંતને પકડો તો આ બધી યંત્રણાઓ અને માથાકૂટ બંધ થઈ જશે. પણ જેના મગજ ઉપર ૧૦ – ૧૦ દેવીઓ સવાર થઈ ગઈ હોય તેની રાત કેવી રીતે પુરી થાય????