Daily Archives: 23/10/2010

માનવતા મરશો નહીં – આગંતુક

મિત્રો,
જીવન ધર્મક્ષેત્ર છે અને કુરુક્ષેત્ર પણ છે. બાળકો જ્યારે થોડા થોડાં સમજણાં થાય ત્યારથી જ તેનામાં મા-બાપે સારા સંસ્કારનું સિંચન કરવાનું શરુ કરવું જોઈએ. જીવનમાં આગળ વધતાં પોતાના બાળકોને સમજણ અને ઉપદેશ આપવાના ઉદ્દેશ્યથી રચાયેલ એક સ્વ-રચિત કાવ્યને માણીએ…..



જન્મ લીધો છે ધરા પર, માનવ દેહે અવતર્યા;
પગલે પગલે સંભાળજો, ચૂક્યા તો તરત જ મર્યા;
પોતાના સ્વાર્થને ખાતર, કોઈનું અહિત કરશો નહીં;
માનવી મરતાં ભલે, પણ માનવતા મરશો નહીં.

લાખ આવ્યાને ગયા, પણ નામ માત્ર તેના રહ્યાં;
અન્યના હિતને ખાતર, જાન કુરબાન જેણે કર્યાં;
દેશ-સેવાના કાર્યમાં, પાછી પાની કરશો નહીં;
માનવી મરતાં ભલે, પણ માનવતા મરશો નહીં.

આટલું ગુમાન શાને? શું લાવ્યાં? શું લઈ જશો?
હોંશીયારી કરશો તો તો, હાથ ઘસતાં રહી જશો;
દિવ્ય આત્મા છો તમે, દાનવતા કરશો નહીં;
માનવી મરતાં ભલે, પણ માનવતા મરશો નહીં.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

ચબરાકીયા (૧) – આગંતુક

સહુ કોઈ ચાલે સમયની પાછળ;
દુ:ખનો કરતાં શોક.
😦 😦 😦 😦
’સમય’ પણ જેની પાછળ ચાલે;
“એવા વિરલા” કો’ક
🙂 🙂 🙂 🙂 🙂

Categories: આનંદ, કલા / સંગીત / નૃત્ય / નાટક, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, હાસ્ય | Tags: , , , , , , , | Leave a comment

વિચાર (૧૫) – સ્વામી વિવેકાનંદ

Categories: શ્રી રામકૃષ્ણ મીશન, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.