નોંધ: આ લેખ ’નવા નાકે દિવાળી’ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે.
Monthly Archives: October 2010
દિપાવલી પર્વની શુભેચ્છાઓ (૧)
દિપાવલી આવું આવું કરી રહી છે. અમુક બ્લોગ ઉપર તો ફટાકડાં પણ ફુટવા લાગ્યાં છે. “મધુવન” માં પણ શુભેચ્છાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આજે શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી દિપાવલીની શુભેચ્છા રુપે “અમૃતબિંદુ” નામની લઘુ- પુસ્તિકા પ્રાપ્ત થઈ છે. આનંદ સાથે તેમનો ઋણ- સ્વિકાર કરીએ છીએ.
આ ઉપરાંત આસ્થાની શાળામાં સહુએ એક પોસ્ટ-કાર્ડ પર સરસ ચિત્ર દોરીને સરનામું કર્યા વગર શાળામાં જમા કરવાનું હતું ત્યાર બાદ શાળામાંથી જુદા-જુદા વિદ્યાર્થીઓને એક-બીજાને પોસ્ટ-કાર્ડ શુભેચ્છા રુપે મોકલવાના તેવી ગોઠવણ કરી હતી. આસ્થાને પણ એક શુભેચ્છા કાર્ડ આજે પ્રાપ્ત થયું.
સહુ બ્લોગ-મિત્રોને “મધુવન” પરિવાર તરફથી દિપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું પર્વ મંગલમય અને આનંદમય રહે તેવી હ્રદય-પૂર્વકની ભાવના સાથે..
સહુને જયશ્રીકૃષ્ણ
મારા પ્રતિભાવો (૩) – આગંતુક
મુળ લેખ: પરમેશ્વરી,,ભુવનેશ્વરી,,કાલી!!કાલી!!મહાકાલી!!
મારો પ્રતિભાવ: એટલા માટે તો વારંવાર કહીએ છીએ કે “એકં સત વિપ્રા બહુધા વદન્તિ – સત્ય એક જ છે અને વિદ્વાનો તેને જુદી જુદી રીતે કહે છે” .
પણ વેદાંત અઘરું પડે છે – એટલે આ દેવ-દેવિઓ નાશ પામવાની બદલે વધતા જ જાય છે. જો અમે કહેશું કે “બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા” તો લોકોને વાંધો પડશે કે અરે આ બધું માણવા માટે તો બનાવ્યું છે – મિથ્યા હોય તો બનાવે જ શું કામ? હા તો માણ્યા કરો અને અનંત કાળ સુધી લેખ લખ્યા કરો. મગજમાં રહેલા આ નાનકડા કેમીકલને કાબુમાં કરતાં શીખી જાવ ને તો ઘડીકમાં આ બધો ઉત્પાત મટી જાય. પણ પણ પણ રાજ-હઠ, બાળ-હઠ અને સ્ત્રી-હઠ લીધી વાત મુકે નહીં. દોરડી બળે પણ વળ ન છૂટે.
અરે ભાઈ ફરી ફરીને કહીએ છીએ કે વેદાંતને પકડો તો આ બધી યંત્રણાઓ અને માથાકૂટ બંધ થઈ જશે. પણ જેના મગજ ઉપર ૧૦ – ૧૦ દેવીઓ સવાર થઈ ગઈ હોય તેની રાત કેવી રીતે પુરી થાય????