વૈષ્ણવ જન તો તેને રે કહીયે – નરસિંહ મહેતા

મારા ભાભુમાને શ્રદ્ધાંજલી

સ્વ.અન્નપુર્ણાદેવી બાલકૃષ્ણભાઈ જાની (ભાભુમા)
સ્વર્ગવાસ: તા.૨૫.૮.૨૦૧૦

વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે’ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ જન

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ જન

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે… વૈષ્ણવ જન

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે… વૈષ્ણવ જન

આ ભજન “જયશ્રી ભક્તા” ની વેબ સાઈટ “ટહુકો” પર સાંભળવા અહીં ક્લિક કરો…

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , | 2 Comments

Post navigation

2 thoughts on “વૈષ્ણવ જન તો તેને રે કહીયે – નરસિંહ મહેતા

  1. Manoj Joshi

    This bhajan is very like in my life.

    Manoj Joshi

  2. HAVISH

    CAN YOU SING THIS SONG AND GIVE ME

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: