સખી અને મિત્રો,
તમને લોકોને કદાચ ખબર નહીં હોય કે મારા ધર્મપત્નિ, અર્ધાંગીનીનું નામ “કવિતા” છે. તે “શ્રી સોફ્ટવેર સર્વીસીસ” નામની “શ્રી સવા” નામનું એકાઉન્ટિંગ સોફ્ટવેર વેચતી પ્રોપ્રાઈટરી પેઢીની પ્રોપ્રાઈટર છે. આ ઉપરાંત તેને બાળકોના વિકાસ અને શિક્ષણમાં ઉંડો રસ છે.
આજે મારે જે વાત કરવાની છે તે તેના એક અલગ જ શોખ વીશે વાત કરવાની છે. “કવિતા” ને “સંગીત” નો અનહદ શોખ છે. અત્યારે તે અને અમારી પુત્રી આસ્થા બંને “શાસ્ત્રીય સંગીત” ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં છે. મને જો કે “સુગમ સંગીત” વધારે ગમે છે, પણ તેમનું શાસ્ત્રીય સંગીત પણ માણવું ખુબ જ ગમે છે. બાપુજી (સ્વામી ભજનપ્રકાશાનંદજી) કહેતા કે સંગીત માં જેને રસ હોય તેને માટે ઈશ્વર પ્રાપ્ત કરવા રમત વાત છે. સંગીતનો આનંદ અડધી સમાધી જેટલો આનંદ આપે છે. તો આ ધરા ઉપર જેને “સંગીત” અને “કવિતા” માં રસ છે તેઓ ખરેખર ધન્ય છે. આખાએ બ્લોગ જગતમાં મને જો આવો “કવિતા અને સંગીતનો સમન્વય” કરતો / કરતી – બ્લોગ / વેબ સાઈટ જોવા મળ્યો / મળી હોય તો તેનું નામ છે “ટહુકો“.
તો આપ સહુ આ અવર્ણનીય આનંદ આપતી સાઈટ ઉપર “સંગીત અને કવિતાનો અદભુત સમન્વય” માણી શકશો.