Daily Archives: 28/06/2010

અર્વાચીન યુગમાં મહિલાઓ – સ્વામી રંગનાથાનંદ

મિત્રો,
* આ પુસ્તક શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. આ પુસ્તિકામાં સ્ત્રીઓ સામેના, ખાસ કરીને પાશ્ચાત્ય સ્ત્રીઓ સામેના પ્રશ્નોની ચર્ચા કરી છે. પોતાના વ્યવસાયોમાં ઝળહળતી ’ફતેહ’ મેળવનાર કેટલીક વ્યવસાયિક મહિલાનો સંપર્ક સાધવાની તક આ પુસ્તક લખતી વેળા લેખકશ્રીને સાંપડી હતી. પોતે જે ઉચ્ચ સ્થાને બિરાજે છે તેનો તેમને આનંદ છે પણ, નારી સંસ્પર્શના તેમાં અભાવને કારણે એમની સફળતા નકામી છે.

* આ પુસ્તકમાં નાના નાના નવ પ્રકરણો છે, આપણે તે ક્રમે ક્રમે અનુકુળતાએ જોશું




Categories: શ્રી રામકૃષ્ણ મીશન, સાહિત્ય | Tags: , | Leave a comment

દાદાગીરી કે પ્રેમ?

મિત્રો,
જ્યારે બે ખાસ મિત્રો મળે ત્યારે બંનેના હ્રદયમાં કેટકેટલી વાતો હોય એક બીજાને કહેવાની. હવે એક મિત્ર બહુ વાતોડીયો હોય તેથી તેના મિત્રને વાત કરવાની તક જ ન મળે. તેને ઘણું કહેવું હોય પણ પે’લો બોલવા દે તો ને. એટલે પછી તે શરત મુકે કે જો તું જ્યારે મને મળવા આવે ત્યારે તારે એક શરતે આવવાનુ – “હું જ્યારે બોલું ત્યારે તારે ચુપચાપ સાંભળવાનું, મારી બધી વાત પુરી થઈ જવા દેવાની”. બોલો આને દાદાગીરી કહેશો કે પ્રેમ? મને જો કોઈ પુછે તો હું તો કહું કે આ જ તો “પ્રેમ” છે.

Categories: આનંદ | Tags: , | 4 Comments

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૧૮

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.


સખી હેતને બળે ન હારતી – સદગુરુ વાતે વિશ્વાસ;
અસ્તિ કહે છે પ્રીતમ – એવી અંતર ઉંડી આશ.

વધુ વાંચવા માટે આગળ..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.