મિત્રો,
નાનપણમાં જે બાળકની માતા-પિતા એ સંભાળ ન લીધી હોય, તેને રઝળતું , રખડતું ,ભટકતું રાખ્યું હોય અને માતા-પિતા એ જલસા જ કર્યા હોય. પરંતુ તેના પ્રારબ્ધ અને પુર્વજન્મના પુણ્યપ્રતાપે તેને સમર્થ ગુરુ મળે અને તે ગુરુ પાસે જ્ઞાન મેળવે, ગુરુ તેને દિક્ષા-શીક્ષા આપે અને પછી બાળકને સમાજની સેવા કરવા માટે મોકલે. હવે આ બાળકની સુવાસ ફેલાય એટલે પહેલા જન્મ-દાતા મા-બાપની દાઢ સળકે અને બાળકને સમાજનું શિક્ષણ આપે અને પછી સમાજની રીત રીવાજો શીખવે અને બાળક સમાજમાં પણ ટટ્ટાર ઉભુ રહેતું થાય. પણ મા-બાપ તો સુધર્યા જ ન હોય. તો આવા મા-બાપ સાથે સંતાને કેવો વ્યવહાર કરવો જોઈએ?