મિત્રો,
તા.૧૪/૬/૨૦૧૦ સુધી હું વેકેશનની રજાઓ માણીશ. આ દિવસો દરમ્યાન હું, કવિતા, આસ્થા, હંસ: અને અમારા વહાલસોયા બા – બસ અન્ય કશું જ નહીં. લ્યો ત્યારે બ્લોગ જગતમાં અમે ફરી પાછા ૧૫/૦૬/૨૦૧૦ ના રોજ આવશું.
આવજો.
મિત્રો,
તા.૧૪/૬/૨૦૧૦ સુધી હું વેકેશનની રજાઓ માણીશ. આ દિવસો દરમ્યાન હું, કવિતા, આસ્થા, હંસ: અને અમારા વહાલસોયા બા – બસ અન્ય કશું જ નહીં. લ્યો ત્યારે બ્લોગ જગતમાં અમે ફરી પાછા ૧૫/૦૬/૨૦૧૦ ના રોજ આવશું.
આવજો.
મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.
સખી શોધું મારા શ્યામ ને, મને બતાવો મારો કાન;
અબુધ અજાણી આંધળી, મને સાચી નહીં સાન.