આવજો…
Daily Archives: 18/05/2010
સદાચાર સ્તોત્ર (50)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
હવે ભોક્તાદિના સ્વરૂપને કહે છે:
ભોક્તા સત્વગુણ: શુદ્ધો ભોગાનાં સાધનં રજ: |
ભોગ્યં તમોગુણં પ્રાહુરાત્મા ચૈષાં પ્રકાશક: ||૫૦||
શ્લોકાર્થ: શુદ્ધ સત્વગુણ ભોક્તા, રજોગુણ ભોગોનું સાધન, તમોગુણ ભોગ્ય અને જે એમનો પ્રકાશક તેને આત્મા કહે છે.
ટીકા: રજોગુણથી તથા તમોગુણથી નહિ દબાયેલી નિર્મલબુદ્ધિવાળો જીવ ભોક્તા છે, રજોગુણવાળું મન તથા ઈંદ્રિયો ભોગાનુભવનાં સાધનો છે, અને તમોગુણના કાર્યરૂપ પાંચ ભૂતોમાંથી પ્રકટેલા શબ્દાદિ વિષયો ભોગ્ય છે. આત્મા ભોક્તા, ભોગ કે ભોગ્ય નથી, પણ એ સર્વનો અસંગ રહીને પ્રકાશક છે એમ જ્ઞાનીઓ કહે છે.