Daily Archives: 13/05/2010
સદાચાર સ્તોત્ર (45)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
હવે પરોક્ષ જ્ઞાનના તથા અપરોક્ષ જ્ઞાનના સ્વરૂપને વર્ણવે છે:
પરોક્ષં શાસ્ત્રજં જ્ઞાનં વિજ્ઞાનં ચાત્મદર્શનમ |
આત્મનો બ્રહ્મણ: સમ્યગુપાધિદ્વયવર્જિતમ ||૪૫||
શ્લોકાર્થ: શાસ્ત્રથી ઉપજેલું જ્ઞાન પરોક્ષજ્ઞાન અને જીવના તથા ઈશ્વરના બે ઉપાધિથી રહિત યથાર્થ આત્મસાક્ષાત્કાર તે અપરોક્ષ જ્ઞાન છે.
ટીકા: શાસ્ત્રના શ્રવણ વડે ઉપજેલું આત્માનું સ્વાનુભવવિનાનું જ્ઞાન પરોક્ષજ્ઞાન કહેવાય છે અને જીવનો ઉપાધિ વ્યષ્ટિ અજ્ઞાન વા અંત:અકરણ ને ઈશ્વરનો ઉપાધિ માયા એ બંને ઉપાધિઓથી રહિત આત્માથી અભિન્ન બ્રહ્મનો જે સ્પષ્ટ અનુભવ તે વિજ્ઞાન અથવા અપરોક્ષજ્ઞાન કહેવાય છે.