એક ભાઈ જ્યાં ક્યાંય મંડળી જામી હોય ત્યાં “૫૫૫” ની પત્તાની કેટ લઈને પાના રમવા બેસી જતાં હતા.
તા.ક. ભાઈનું ધ્યાન કોઈ રસપ્રદ વાતમાં હતું ત્યાં કોઈ ગઠીયો આવીને “૫૫૫” ની કેટ ઉપાડીને છૂ-મંતર થઈ ગયો.
એક ભાઈ જ્યાં ક્યાંય મંડળી જામી હોય ત્યાં “૫૫૫” ની પત્તાની કેટ લઈને પાના રમવા બેસી જતાં હતા.
તા.ક. ભાઈનું ધ્યાન કોઈ રસપ્રદ વાતમાં હતું ત્યાં કોઈ ગઠીયો આવીને “૫૫૫” ની કેટ ઉપાડીને છૂ-મંતર થઈ ગયો.
૧.
મોતની તાકાત શું મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ.
જેટલે ઉંચે જવુ હો માનવી,
તેટલા ઉન્નત વિચારો જોઈએ.
૨.
ઉંચી મતિ, ઉંચી કૃતિ, ઉંચા વિચારો જ્યાં હશે,
તે ઘર તણાં સહુ માનવી, સર્વત્ર મંગલમય થશે.
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
ઉપર કહેલી માયાની નિવૃત્તિ બ્રહ્મના જ્ઞાન વડે થાય છે એમ ઉપદેશ કરે છે:
સદાનન્દે ચિદાકાશે માયામેઘસ્તડિન્મન: |
અહન્તા ગર્જનં તત્ર ધારાસારા હિ વૃત્તય: || ૪૧ ||
મહામોહાન્ધકારેSસ્મિન દેવો વર્ષતિ લીલયા |
અસ્યા વૃષ્ટેર્વિરામાય પ્રબોધૈકસમીરણ: || ૪૨ || – સદાચાર સ્તોત્ર
શ્લોકાર્થ: સદાનંદ સ્વભાવવાળા ચેતનરૂપ આકાશમાં માયારૂપ મેઘ ને મનોરૂપ વીજળી છે. ત્યાં અહંતારૂપ ગર્જના છે, ને વૃત્તિઓરૂપ વરસાદની મોટી ધારાઓનું પડવું છે. આ મહામોહરૂપ અંધકારમાં દેવ લીલા વડે વરસે છે. આ વૃષ્ટિ વિરામ માટે જ્ઞાનરૂપ એક વાયું છે.
ટીકા: સત, આનંદ ને ચેતન આ સ્વભાવવાળા બ્રહ્મરૂપ આકાશને આશરે માયારૂપ મેઘ રહેલા છે, તે મેઘમાં અંત:કરણરૂપ વીજળી પ્રતીત થાય છે. ત્યાં દેહાદિમાં હું પણાની બુદ્ધિરૂપ ગર્જના સંભળાય છે, અને માયાના કાર્ય અંત:કરણમાંથી ઉત્પન્ન થતી વૃત્તિઓરૂપ વરસાદની ધારાઓનું પડવું થાય છે. આ મહામોહ એટલે બ્રહ્મસ્વરૂપના અજ્ઞાનરૂપ અંધારામાં સ્વયંપ્રકાશ પરમાત્મા પોતાની સ્વાભાવિક લીલાવડે નામરૂપની પ્રતીતિ કરાવવારૂપ વરસે છે. આ વૃષ્ટિની એટલે માયાની ને તેના અંત:કરણાદિ સર્વ કાર્યોની નિવૃત્તિ માટે બ્રહ્મસ્વરૂપના દૃઢજ્ઞાનરૂપ એક વાયુ જ ઉપયોગી છે.