Daily Archives: 05/05/2010

ફકીરોની મસ્તી – સ્વામી ભજનપ્રકાશાનંદગીરીજી

રાગઃ લાગ્યા કલેજે છેદ ગુરુના

દેખો મસ્તી મોજ ફકીરોની, ઐસી મસ્તી નહિં અમીરોની
અમીરો તાપ નીત ત્રિવિધ તપતા, ફકીરો શીતલ સરોવર નહાતા

ફકીરો ફરે સબ ફીકરને ત્યાગી, અમીરો જલે અંતર આગી
ફકીરો શીતલ શાંત સુહાગી, અમીરો અશાંત વૈભવ રાગી

ફકીરો ફીરે કભી નંગા પૈદલ, કભી મોટર ગાડી કા દલ
કભી જમે ભોજન સુરસવાલા, કભી ટુકડા લુક્ખા નીરસાળા

કભી સોતા મેડી મહલ મજામાં, કભી ઝુંપડીથી અલખ અજામાં
કભી વદતા વાણી બ્રહ્મ વેદાંતી, કભી મૌન અંતર ઉદાતી

અવિરત અંતર ખેલે ખુબીમાં, અકળ અનેરી અદભુતીમાં
સુગરા સોઈ મર્મ જાણે માણે, નુગરા નર તે રહે અજાણે

ગુરુગમ જ્ઞાની પરમ પદ ધ્યાની, રહે નિરંતર શૂન્ય નીશાની
વિવેક વિચારી વસ્તુ ધારી, રહેતા નીત અનંત અણસારી

ભજનપ્રકાશાનંદ સત્યમિત્રાનંદ, સદગુરુ શાન સમજ આની
આની સાની સ્વરૂપ પીછાની, પાયા પરમપદ ભયા બ્રહ્મજ્ઞાની

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

સદાચાર સ્તોત્ર (36)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે ઉન્મની દશાનું સ્વરૂપ વર્ણવે છે:

અર્થાદર્થે યદા વૃત્તિર્ગન્તું ચલતિ ચાન્તરે |
નિરાધારા નિર્વિકારા યા દશા સોન્મની સ્મૃતા* ||૩૬||

* કોઈ પ્રતમાં અહીં ચિત્તં ચૈતન્યમાત્રેણ સંયોગાચ્ચેતના ભવેત | (કેવલ ચૈતન્યની સાથે સંયોગ પામવાથી ચિત્ત ચેતનના જેવું જણાય છે.) એ પ્રમાણે વધારો જોવા મળે છે.

શ્લોકાર્થ: જ્યારે વૃત્તિ એક પદાર્થથી બીજા પદાર્થ ભણી જવાને ચાલે છે ત્યારે મધ્યમાં જે તેની નિરાધાર અને નિર્વિકાર દશા છે તે ઉન્મની કહી છે.

ટીકા: જ્યારે અંત:કરણની વૃત્તિ અંત:કરણમાંથી ઊઠીને કોઈ પદાર્થ ભણી જાય છે, અથવા કોઈ પદાર્થને આકારે થઈ હોય ત્યાંથી બીજા પદાર્થને આકારે થવા તે પદાર્થ ભણી જાય છે, ત્યારે તે બેની વચ્ચે અંત:કરણની વૃત્તિ કોઈ પણ પદાર્થના આલંબનવાળી હોતી નથી, અર્થાત બ્રહ્માકાર થયેલી હોય છે. વૃત્તિની આવી આલંબન વિનાની ને વિકાર વિનાની – બ્રહ્મરૂપે – જે સ્થિતિ તે સ્થિતિ યોગીઓએ ઉન્મની કહી છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.