રાગઃ- વારૂ મારા વીરા રે સંગ ન કરીએ નીચનો હોજી
સમજ્યા વિના સુખ ક્યાંથી સાંપડે હોજી
ઇતો વળી દુઃખ દારીદ્ર કેમ જાય
અજ્ઞાનપણું ઉરમાં રે અંતરમાં આપદા ઘણીરેજી — ટેક
સતગુરુ જેના સાચા રે સમજાવે શાન કરી રેજી
ઇતો વળી દરશાવે દિલડાંની માંય
આતમો અવિનાશી રે ગુરુ ગમ જ્ઞાન કરીરેજી –સમજ્યા
સતસંગ નવ કીધોરે મુરખ મંદ મતિરેજી
ઇતો વળી ભાવે ભજ્યા નહિં ભગવાન
સંતોને ન સેવ્યા મુરખ મન ગુમાન કરીરેજી -સમજ્યા
ભક્તિ છે શૂરવીરની રે કાયર નર નહીં કરે હેજી
ઇતો વળી ધડ માથે શિશ ન હોય
શૂરવીર જન ઇ સાચારે રણવટ રીતી ખેલેરેજી –સમજ્યા
દ્વૈતપણું દિલમાંરે અદ્વૈતતા કેમ આવેરે
ઇતો વળી મારૂં તારૂં કેમ મૂકાય
ભજનપ્રકાશ ભ્રમણા ભાંગેરે સદગુરૂ સાચા મળેરેજી –સમજ્યા