Daily Archives: 01/04/2010

અંધશ્રદ્ધાથી મૃત બ્લોગર પુન: સજીવન થયો.

બ્લોગજગત
તા. ૧ એપ્રીલ ૨૦૧૦

જાણીતા ગુર્જર બ્લોગ જગતમાં એક બ્લોગર તા.૨૫.૩.૨૦૧૦ ના રોજ મૃતસ્થ થયો હતો. આ સમાચારથી તેમના સ્વજનોને દુ:ખથી અને વિરોધીઓને હર્ષથી આંખમાં આંસુ આવ્યા હતા. શૈલેષભાઈ, અશોકભાઈ અને બ્લોગાચાર્યના ખાસ સ્નેહી કે જેમની પાસેથી અમે નાટક ચેટક કરતા શીખ્યા છીએ તે આ સમાચારને તરત જ જાણી ગયા હતા કે નક્કી દાળમાં કાઈક કાળું છે. પણ જો એમ અમારી આગોતરી યોજના બહાર પડી જાય તો આ હાસ્યરસ અને વીરરસથી છલકાતા બ્લોગ જગતમાં કરૂણરસ ક્યાંથી આવે. તેથી રમતને શક્ય તેટલું ગંભીર સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ મૃતસ્થની સદગતી માટે મૃતસ્થે પોતાની મેળે મેળે જ આદિ શંકરાચાર્યજીના સદાચાર સ્તોત્રનું પારાયણ બેસાડ્યું હતું (જે હજુ ચાલુ જ છે) અને આ પારાયણના મંગલાચરણથી મૃતસ્થના ખોળીયામાં સળવળાટ થયો હતો. અને માત્ર ૩ જ શ્લોક સાંભળવાથી આ મૃતસ્થ ફરી પાછો પુન: સજીવન થયો છે. હવે એકવીશમી સદીમાં આવા અંધશ્રદ્ધાના અંધારાને કોણ માનશે? તેમ છતાં જેવી રીતે આ બ્લોગ જગતમાં અંધશ્રદ્ધાનું અંધારુ ફેલાય છે તેવી જ રીતે શ્રધ્ધાના દિપકો પણ જલતા જ રહે છે.

આ સદાચાર સ્તોત્રનું જે પઠન પાઠન કરશે તે બ્લોગજગતના રાગ – દ્વેષથી મુક્ત થઈ જશે. જે આ સદાચાર સ્તોત્રને જીવનમાં ઉતારશે તે મૃત્યુ લોકમાં જીવનમુક્ત થશે અને મૃત્યુ બાદ વિદેહમુક્તી પામશે.

તા થૈયા થૈયા થઈ થઈ.

બોલો સદાચાર સ્તોત્રની જય.

નટવરની જય હો.

નટરાજની જય હો.

Categories: હળવી પળો | Tags: | 17 Comments

સદાચાર સ્તોત્ર

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

પ્રાત: સ્મરામિ દેવસ્ય સવિતુર્ભર્ગ આત્મન: |
વરેણ્યં તદ્ધિયો યો નશ્ચિદાનન્દ: પ્રચોદયાત || ૩ ||

શ્લોકાર્થ: પ્રાત:કાલમાં હું સર્વની ઉત્પતિના કારણરૂપ ને સ્વયંપ્રકાશ આત્માના તે શ્રેષ્ઠ ચિદાનંદસ્વરૂપનું સ્મરણ કરું છું, જે ચિદાનંદ અમારી બુદ્ધિઓને સ્ફુરાવે છે.

ટીકા: મનુષ્યના ચિત્તની પ્રસન્નતા વધારનારા પ્રાત:કાલમાં જાગ્રત થઈ હું આ સર્વ દૃશ્યના વિવર્તોપાદાનકારણરૂપ ને સ્વયંપ્રકાશ (કોઈનો વિષય થયા વિના સ્પષ્ટ પ્રતીત થનાર) આત્મતત્વના ઉપનિષદોમાં પ્રસિદ્ધ તે ચૈતન્યસ્વરૂપનું ને આનંદસ્વરૂપનું ભાવપૂર્વક સ્મરણ કરું છું, જે ચૈતન્યસ્વરૂપવાળાને આનંદસ્વરૂપવાળા આત્મા આપણી – સર્વ પ્રાણીઓની બુદ્ધિવૃત્તિઓને સ્ફુરણની – જ્ઞાનની શક્તિ આપે છે.


આગંતુકની નોંધ:- આ ત્રીજો શ્લોક સાંભળતા જ મારી મુર્છા પામેલી બુદ્ધિમાં ચૈતન્યસ્વરૂપ વાળા અને આનંદસ્વરૂપવાળા આત્માનું સ્ફુરણ થતા હું બ્લોગ જગતમાં પુન: સજીવન થયો છું.


Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Blog at WordPress.com.