Daily Archives: 17/03/2010

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૭ – ૧૧)

અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ |
નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન્બ્રવીમિ તે ||૭||

હે દ્વિજોત્તમ, આપણી બાજુ પણ જે વિશિષ્ટ યોદ્ધા છે તે આપને કહું છું. આપણા સૈન્યનાં જે પ્રમુખ નાયક છે તેનાં નામ હું આપને કહું છું.

ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ |
અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ ||૮||

આપ સ્વયં, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપ, અશ્વત્થામા, વિકર્ણ તથા સૌમદત્ત (સોમદત્તનો પુત્ર) – આ બધા પ્રમુખ યોદ્ધા.

અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ |
નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદા: ||૯||

આપણા પક્ષમાં યુદ્ધમાં કુશળ, વિવિધ શસ્ત્રોમાં પ્રવિણ અન્ય પણ અનેક યોદ્ધા છે જે મારા માટે પોતાનું જીવન પણ ત્યાગવા તૈયાર છે.

અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ |
પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ ||૧૦||

ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત આપણી સેનાનું બળ પર્યાપ્ત નથી, પરન્તુ ભીમ દ્વારા રક્ષિત પાંડવોની સેના બલ પૂર્ણ છે.

અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ |
ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ ||૧૧||

માટે બધા લોકો જે પણ સ્થાનો પર નિયુક્ત હો ત્યાંથી બધા દરેક પ્રકારે ભીષ્મ પિતામહની રક્ષા કરે.

Categories: ભગવદ ગીતા | Tags: | 5 Comments

ત્યાં લગી આશ સૃષ્ટિની – આગંતુક

ત્યાં લગી આશ સૃષ્ટિની, જ્યાં લગી ઉગતા ફુલો
જીંદગી જીવવા જેવી, જ્યાં લગી કવિના કુળો (અજ્ઞાત)

મિત્રો,

ઉપર આપણે સુંદર ફુલો જોઈ રહ્યાં છીએ અને તેનો ધર્મ છે સુંદરતા અને સુગંધ.

જે જે સુંદર, સત્યને પવિત્ર પ્રેમલ છે
મારા અંશથી થયું, સમજી લે જે તે. (સરળ ગીતા)

જો આપણે આપણી જાતને મનુષ્ય તરીકેની ઓળખ આપવા માંગતા હોઈએ તો આપણે સુંદર,સાત્વિક અને સુગંધી બનવું જોઈએ. જે પોતાની જાત ઉપર કાલ્પનીક ઉપાધિનો આરોપ કરે છે તે તરત જ સંકોચાઈને પોતાની સુંદરતા ગુમાવે છે. માણસ સારા વિચારો ગમે ત્યાંથી મેળવી શકે પણ તેને માટે તેણે પોતાના અનંત આત્મા ઉપર કોઈ પણ પ્રકારની મુદ્રા મહોર ન મારી દેવાય. પોતાની જાત ઉપર મુદ્રા મહોર મારવથી તેને પોતાની જ વાત સાચી લાગે છે અને અન્યની વાતમાં રહેલા સત્યને તે સમજવાનો પ્રયત્ન કરવાનું બંધ કરે છે પરીણામે પોતાની તથા બીજાના મનની શાંતિનો તેના દ્વારા જાણ્યે અજાણ્યે ભંગ થશે. ફુલ કદી પોતાનો પ્રચાર નથી કરતું અને છતાં પતંગિયાઓ અને ભ્રમરો તેની મેળે જ સુગંધથી આકર્ષાઈને આવી જાય છે. તેવી રીતે ઉત્તમ મનુષ્યોના ચારિત્ર્યની સુગંધથી આપોઆપ જ લોકો તેની મેળે આકર્ષાઈને આવી જાય છે. સુંદરતા છે વિશાળતામાં, એક સ્થળે શાંતિથી બેસીને સુગંધ પ્રસરાવવામાં અને જ્યાં જઈએ ત્યાં શિષ્ટાચારપુર્વક ઘોંઘાટ કર્યા વગર સ્વસ્થ ચિત્તે શાંતિથી વાત કરવામાં.

Categories: કુદરત | Leave a comment

Create a free website or blog at WordPress.com.